ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:10 PM, 2 June 2026
ADVERTISEMENT
'ધુરંધર'ની સફળતા બાદ, રાકેશ બેદીની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં તેણે પાકિસ્તાની નેતાજમીલ જમાલીનું પાત્ર ભજવ્યું હતું. ધુરંધર થી તેમની જાહેરાતો અને ઇવેન્ટની ખૂબ જ માંગ છે, અને નવી ફિલ્મોની ઓફરોનો વરસાદ થઈ રહ્યો છે. તેમની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ છે કે, TRP રેટિંગ વધારવા માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતાઓએ રાકેશ બેદીને શોમાં એન્ટ્રી કરાવી છે. આવો જોઈએ કે ગોકુલધામમાં જમીલ જમાલીનું કેવી રીતે સ્વાગત કરવામાં આવે છે.
ADVERTISEMENT
'તારક મહેતા' માં પહોંચ્યા જમીલ જમાલી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં, રાકેશ બેદી તારક મહેતાના બોસ, બાબુલાલ તરીકે પાછા ફરે છે. પોતાની કારમાં બેસીને, બાબુલાલ તારક મહેતાને ફોન કરે છે અને પૂછે છે કે તે ક્યાં છે. તારક મહેતા જવાબ આપે છે, "હું રસ્તામાં છું, બોસ." બાબુલાલ ટિપ્પણી કરે છે કે, તેને કોઈ ટ્રાફિકનો અવાજ સાંભળતો નથી. આ સમયે, જેઠાલાલ પસાર થતા વાહનોનો અવાજ કરવાનું શરૂ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તે જ સમયે, અબ્દુલ તારક મહેતાને કહે છે કે, બોસ તેમના ઘરે આવી રહ્યા છે. ગોકુલધામની બહાર બાબુલાલ તેમની કારમાંથી બહાર નીકળે છે, પરંતુ ભીડ તેમને જમીલ જમાલી સમજીને તેમના પર હુમલો કરવા દોડી જાય છે કારણ કે બાબુલાલનો ચહેરો ધુરંધરના જમીલ જમાલી સાથે મળે છે. બાબુલાલ ભાગી જાય છે અને અંજલી ભાભી તરફ દોડે છે. પ્રોમો મનોરંજક છે, અને તેને જોઈને ચાહકો આગામી એપિસોડ જોવા માટે ઉત્સાહિત થઈ ગયા છે.
તારક મહેતા છેલ્લા 17 વર્ષથી ટેલિવિઝન દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. આ શોમાં રાકેશ બેદીએ બાબુલાલનું પાત્ર ભજવ્યું હતું. રાકેશ બેદી 2020માં તારક મહેતામાં જોડાયા હતા, પરંતુ છેલ્લા કેટલાક એપિસોડથી તેઓ શોમાંથી ગેરહાજર હતા, કારણ કે વાર્તા જેઠાલાલ પર કેન્દ્રિત હતી. જોકે, ધૂરંધરની સફળતા બાદ મેકર્સે નવી રણનીતિ અપનાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 11 અઠવાડિયામાં પૈસા છાપવાનું મશીન બની 'ધુરંધર 2', રણવીર સિંહની ફિલ્મનો નફો જાણી ઉડી જશે હોશ
તેઓ રાકેશ બેદીનો ઉપયોગ કરીને શોના ટીઆરપીનો લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નિર્માતાઓને વિશ્વાસ છે કે, રાકેશ બેદીની એન્ટ્રીથી શોના રેટિંગમાં વધારો કરશે. હવે મેકર્સનું આ પ્લાનિંગ કેટલું સફળ થાય છે તે જોવાનું રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT