ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2027 પહેલાં KL રાહુલના દિલ્હી છોડવાની અટકળો! રાહુલે કહ્યું- ‘આગામી સીઝનની રાહ નથી જોઈ શકતો’!
6 ફોટો ગેલેરી
Last Updated: 03:29 PM, 8 September 2026
1/6
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની મિની-ઓક્શન પહેલાં ખેલાડીઓની અદલા-બદલી(ટ્રેડ) અંગેની ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલના ભવિષ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જોકે, હવે રાહુલે સ્પષ્ટ જવાબ આપીને આવી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
2/6
રાહુલ સ્પષ્ટપણે સંકેત આપી ચૂક્યો છે કે, તેઓ IPL 2027માં પણ દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળશે. વાસ્તવમાં, દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કે.એલ. રાહુલના વખાણ કરતી પોસ્ટ કરી હતી. તેમણે રાહુલને ટીમનો 'ક્લચ પ્લેયર' ગણાવ્યા હતા અને તેમની સાથે મળીને 'અધૂરું કામ' પૂરું કરવા વિશે વાત કરી હતી. પાર્થ જિંદાલની પોસ્ટના જવાબમાં કે.એલ. રાહુલે લખ્યું, "થેંક્યૂ, હું આગામી સીઝન માટે ખૂબ જ ઉત્સુક છું." રાહુલનો આ જવાબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે સૂચવે છે કે તેઓ IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા રહેશે અને આગામી સીઝનમાં તે જ ફ્રેન્ચાઇઝી માટે રમતા જોવા મળશે.
ADVERTISEMENT
3/6
IPL 2025 પહેલાં કે.એલ. રાહુલ દિલ્હી કેપિટલ્સમાં જોડાયા. ફ્રેન્ચાઇઝીએ તેમને 14 કરોડ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા. દિલ્હી સાથે તેમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તેણે IPL 2025માં 539 રન બનાવ્યા હતા. 2026ની સિઝનમાં તો તેમણે વધુ શાનદાર પ્રદર્શન કરતા કુલ 593 રન નોંધાવ્યા. બીજા શબ્દોમાં કહીએ તો, દિલ્હી કેપિટલ્સ માટેની પોતાની પ્રથમ બે સિઝનમાં રાહુલે સતત 500થી વધુ રન બનાવ્યા છે, જે ટીમ માટે તેમનું મહત્વ સ્પષ્ટ દર્શાવે છે.
4/6
દિલ્હી કેપિટલ્સમાં જોડાતા પહેલા કે.એલ. રાહુલ પંજાબ કિંગ્સના કેપ્ટન હતા. ત્યારબાદ, તેમણે સતત ત્રણ સીઝન સુધી લખનઉ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું. રાહુલના નેતૃત્વમાં લખનઉએ ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું, જોકે ટીમ IPLનું ટાઇટલ જીતી શકી નહીં. આ પછી, IPL 2025 પહેલાં રાહુલ દિલ્હી કેપિટલ્સમાં જોડાયા. હવે, પાર્થ જિંદાલની પોસ્ટ અને રાહુલના જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી સાથેની તેમની સફર હાલ પૂરતી ચાલુ રહેશે.
ADVERTISEMENT
5/6
IPL 2027 અગાઉ ખેલાડીઓની અદલાબદલી (ટ્રેડ) અંગેની ચર્ચાઓ તેજ બની છે, કારણ કે કેટલાક મોટા ખેલાડીઓના ટીમ બદલવાની પ્રક્રિયા અંગેની વિગતો સામે આવી છે. રિષભ પંત અને કુલદીપ યાદવ સત્તાવાર રીતે ટ્રેડનો ભાગ બન્યા છે. પંત દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યા છે, જ્યારે કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સમાં જોડાયા છે. દરમિયાન, રાહુલને લગતા ટ્રેડ અંગે પણ અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે આ બેટ્સમેનની પોતાની પ્રતિક્રિયાએ તે અફવાઓ પર પૂર્ણવિરામ મૂકેલુ જણાય છે.
6/6
દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લગતા ટ્રેડ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, અહેવાલો અનુસાર, હાર્દિકના ટ્રેડ અંગે અત્યાર સુધી કોઈ ડીલ ખબર સામે આવી નથી. મુંબઈ ઈન્ડિયન્સને હાર્દિક માટે હજુ સુધી એવો કોઈ ડીલ મળ્યો નથી જેને તેઓ યોગ્ય ગણાવે. પરિણામે, IPL 2027 સુધી તેના મુંબઈ સાથે જ રહેવાની શક્યતા યથાવત છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ