ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસનો આજે 21મો દિવસ, અત્યાર સુધીમાં 40 આરોપીની ધરપકડ

ગુજરાત / ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસનો આજે 21મો દિવસ, અત્યાર સુધીમાં 40 આરોપીની ધરપકડ

Published By: Nidhi Panchal

Last Updated: 07:32 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના નકલી દારૂકાંડમાં તપાસનો આજે 21મો દિવસ શરૂ થયો છે અને SMCની તપાસ હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 38 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડને લઈને SMC દ્વારા તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે. આજે આ સમગ્ર મામલાની તપાસનો 21મો દિવસ શરૂ થયો છે. અત્યાર સુધીમાં SMC દ્વારા કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 38 આરોપીઓને જેલ હવાલે કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની પૂછપરછ અને તપાસની કાર્યવાહી પણ આગળ ચાલી રહી છે.

BVN

દિલ્હીથી ઝડપાયેલો મનજીતસિંઘ સૈની પોલીસ રિમાન્ડ પર

હાલમાં પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ અને દિલ્હીથી ઝડપાયેલો મનજીતસિંઘ સૈની પોલીસ રિમાન્ડ પર છે. રાજદીપસિંહ ગોહિલના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે મનજીતસિંઘ સૈનીના 10 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ છે. રિમાન્ડ દરમિયાન બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછના આધારે વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા પણ છે.

હરદીપસિંહ મોરીના 4 દિવસના રિમાન્ડ મંજૂર

નકલી દારૂકાંડમાં સંડોવાયેલા એક શખ્સ અંગે સિહોર પોલીસ પણ તપાસ કરી રહી છે. હરદીપસિંહ મોરીની ધરપકડ બાદ સિહોર પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે સિહોર પોલીસની માંગણીને મંજૂર કરીને હરદીપસિંહ મોરીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી સમગ્ર મામલાને લઈને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ

આ નકલી દારૂકાંડમાં પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાજદીપસિંહ ગોહિલની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં 2 PI સહિત કુલ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SMCના IG ગાગનદીપ ગંભીર દ્વારા ભાવનગરમાં સતત 6 દિવસ સુધી પોલીસની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન SP, DYSP, PI સહિતના પોલીસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત નકલી દારૂકાંડ સાથે સંકળાયેલા બુટલેગરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને બુટલેગરોની પૂછપરછ બાદ સમગ્ર તપાસનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે નકલી દારૂકાંડમાં પોલીસની ભૂમિકા કેટલી હતી અને સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સંડોવાયેલું હતું તે અંગેની તપાસ આગળ વધી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં દીકરીની બીભત્સ ચેટ વાયરલ થઈ તો પિતા-પુત્રે ચાલુ બાઈક પર હથોડાના ઘા મારીને પતાવી દીધી

નકલી દારૂના સેવનથી 61 લોકો અસરગ્રસ્ત

ભાવનગરના આ નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 61 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. નકલી દારૂના સેવનના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી. આ સમગ્ર ઘટનામાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 13 લોકોના મોત જાહેર કરવામાં આવ્યા છે. હાલ SMC દ્વારા સમગ્ર મામલાની તપાસ સતત ચાલુ રાખવામાં આવી છે. આજે તપાસનો 21મો દિવસ શરૂ થયો છે ત્યારે રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછપરછમાં શું માહિતી સામે આવે છે અને તેના આધારે વધુ કેટલા લોકોની ધરપકડ થાય છે તેના પર સૌની નજર છે. બીજી તરફ પોલીસની ભૂમિકા અંગે ચાલી રહેલી તપાસમાં પણ આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake Liquor Case Bhavnagar Fake Liquor SMC Investigation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ