ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વંદે માતરમ્ દરમિયાન બેસી જવાના આરોપ વચ્ચે ખેડાવાલાનો ખુલાસો : પહેલા ભાગ સુધી ઊભો હતો, પછી ઉમેરાયેલી પંક્તિઓ વખતે...

ગુજરાત / વંદે માતરમ્ દરમિયાન બેસી જવાના આરોપ વચ્ચે ખેડાવાલાનો ખુલાસો : પહેલા ભાગ સુધી ઊભો હતો, પછી ઉમેરાયેલી પંક્તિઓ વખતે...

Published By: Nidhi Panchal

Last Updated: 02:55 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજે શરૂ થતાં જ વંદે માતરમ્ ગીત દરમિયાન બનેલી ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. સરકારે ઇમરાન ખેડાવાલા પર વંદે માતરમ્ અને સંસદીય પ્રણાલીનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ખેડાવાલાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં વંદે માતરમ્ ગીત દરમિયાન બનેલી એક ઘટનાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. સરકાર તરફથી આ ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને ઇમરાન ખેડાવાલા દ્વારા વંદે માતરમ્ ગીતનું અપમાન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ સરકારે આ ઘટનાને સંસદીય પ્રણાલીનું અપમાન ગણાવી છે.

imran

ગૃહમાં વંદે માતરમ્ ગીત ગાવાની પરંપરા

વર્ષોથી ગુજરાત વિધાનસભાના ગૃહમાં વંદે માતરમ્ ગીત ગાવાની પરંપરા છે. આજે પણ ગૃહની કાર્યવાહી દરમિયાન વંદે માતરમ્ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન થયેલી ઘટનાને લઈને સરકાર તરફથી સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સરકાર વતી ઘટનાને શબ્દોમાં વખોડવામાં આવી હતી. આ ઘટના જાણી જોઈને કરવામાં આવી હતી કે પછી ભૂલથી થઈ હતી, તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. જો આ ઘટના ભૂલથી થઈ હોય તો માફી માંગવાની માંગ સરકાર તરફથી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવશે.

ઇમરાન ખેડાવાલા

દરમિયાન વંદે માતરમ્ ગીતના વિવાદ અંગે ઇમરાન ખેડાવાલાએ પોતાનું નિવેદન આપ્યું છે. ખેડાવાલાએ કહ્યું કે, વંદે માતરમ્ ગીતનું ગાન ચાલી રહ્યું હતું ત્યારે તેઓ ઊભા હતા. તેમણે કહ્યું કે 1937માં ગાંધી, સરદાર અને ટાગોરના સમયમાં જેટલું વંદે માતરમ્ ગવાતું હતું, એટલા ભાગ સુધી તેઓ ઊભા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ બેસી ગયા હતા. ખેડાવાલાએ વધુમાં કહ્યું કે તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા નથી. તેમના જણાવ્યા મુજબ, પાછળથી વંદે માતરમ્ ગીતમાં જે લાઇનો ઉમેરવામાં આવી છે, એ દરમિયાન તેઓ બેસી ગયા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશપ્રેમ માટે ભાજપના સર્ટિની જરૂર નથી.

kirti-patel

લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર

ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થયું છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દ્વારા પહેલા જેટલું ગીત ગવાતું હતું, એટલા જ ગીતને તેમણે સહકાર આપ્યો છે. તેમણે કહ્યું કે અડધા ગીતે તેઓ બેસી ગયા છે, પરંતુ આ તેમનો પર્સનલ મામલો છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે આ તેમનું સ્ટેન્ડ છે, કોંગ્રેસનું સ્ટેન્ડ નથી.

આ પણ વાંચો : અમદાવાદના ઓઢવમાં ઘરે પાર્ક કારનો રસ્તા પર ચેકિંગનો મેમો? PSI સામે ખોટો મેમો બનાવી સરકારી દસ્તાવેજના દુરુપયોગનો આક્ષેપ

બીજી તરફ, વિધાનસભા ગૃહમાં વંદે માતરમ્ મુદ્દે કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું છે. કિરીટ પટેલે કહ્યું કે ઇમરાન ખેડાવાલા ઊભા થયા હતા. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રગીત દરમિયાન ઇમરાન ખેડાવાલા ઊભા થયા નહોતા તે હકીકત ખોટી છે. કિરીટ પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે ગુજરાત વિધાનસભામાં આવું જ થયું છે અને કોંગ્રેસને બદનામ કરવાના સરકારના કાવતરા છે. આમ, વંદે માતરમ્ ગીત દરમિયાન બનેલી ઘટનાને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. હવે આ મામલે વિધાનસભાના ગૃહમાં શું રજૂઆત થાય છે અને સરકાર તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Imran Khedawala Gujarat Assembly Vande Mataram Controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ