ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે રેલવે મોડી નહીં પડે! કરોડોના 7 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને 4 લેનની મળી મંજૂરી

બ્રેકિંગ / હવે રેલવે મોડી નહીં પડે! કરોડોના 7 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને 4 લેનની મળી મંજૂરી

Published By: Pravin Joshi

Last Updated: 04:34 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે દેશના 7 હાઈ ડેન્સિટી રેલવે કોરિડોરને ફોર-લેન કરવાની મંજૂરી આપી છે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે (9 સપ્ટેમ્બર 2026) યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતીય રેલવેના કાયાકલ્પ અને આધુનિકીકરણને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે સરકારે દેશના સાત અત્યંત વ્યસ્ત (હાઈ ડેન્સિટી) રેલવે કોરિડોરને ચાર માર્ગીય (ફોર લેન / ફોર ટ્રેક) બનાવવાની મંજૂરી આપી દીધી છે.

ગોલ્ડન ક્વોડ્રિલેટરલ અને હાઈ ડેન્સિટી રૂટનો વિકાસ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા અને કોલકાતા-દિલ્હીનો 'ગોલ્ડન ક્વોડ્રિલેટરલ' તથા તેના ડાયગોનલ રૂટ્સ દેશના સૌથી વ્યસ્ત રેલ નેટવર્ક છે. દેશના 11,000 કિલોમીટરના હાઈ ડેન્સિટી કોરિડોરમાંથી આ સાત રૂટ પર ભારતીય રેલવેનો આશરે 40 ટકા ટ્રાફિક ચાલે છે. આ રૂટ્સ પર ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફોર-લેન ટ્રેક બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેમાંથી 2,000 કિમીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, 5,000 કિમી પર કામ ચાલુ કે મંજૂર થઈ ગયું છે અને બાકીના 4,000 કિમી માટે DPR તૈયાર થઈ રહ્યો છે.

મુખ્ય સ્વીકૃત પ્રોજેક્ટ્સ અને નાણાકીય ફાળવણી

કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં અનેક રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈ-હાવડા રૂટ: ખડગપુરથી ઝારસુગુડા વચ્ચે 367 કિલોમીટર લાંબી ચોથી (4th) રેલ લાઈનને મંજૂરી અપાઈ છે, જેના પર રૂ. 6,528 કરોડનો ખર્ચ થશે.

અરકનમ-રેનિગુંટા રૂટ: 77 કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી લાઈન માટે રૂ. 1,936 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

બિલાસપુર-કટની રૂટ: છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના આ મહત્વપૂર્ણ રેલવે સેક્શનને સંપૂર્ણપણે ફોર-લેન બનાવવામાં આવશે.

આ પણ વાંચો : પાટણના બગવાડા દરવાજા પાસે ભૂવામાં ST બસના પાછળના બંને ટાયર ફસાયા, મુસાફરોને રસ્તામાં ઉતાર્યા

5 રાજ્યોને સીધો ફાયદો, પ્રવાસન અને રોજગારીને મળશે વેગ

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ 5 રાજ્યોના 14 જિલ્લાઓમાં રેલ નેટવર્ક આશરે 656 કિલોમીટર વધી જશે. આનાથી 4,790 ગામડાંના 56 લાખથી વધુ લોકોને સીધી અને બહેતર રેલ કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત તારાતારિણી મંદિર, બાંધવગઢ ટાઈગર રિઝર્વ, અમરકંટક અને રતનપુર મહામાયા મંદિર જેવા પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુસાફરી વધુ સુગમ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RailwayInfrastructure IndianRailways CabinetDecisions

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ