ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશજીને ચઢાવાય છે મહેંદી, પ્રસાદ હાથ પર લગાવતા જ દૂર થાય છે લગ્નના વિઘ્નો

photo-story

5 ફોટો ગેલેરી

Ganesh Chaturthi / ગણેશજીને ચઢાવાય છે મહેંદી, પ્રસાદ હાથ પર લગાવતા જ દૂર થાય છે લગ્નના વિઘ્નો

Last Updated: 11:07 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોતી ડુંગરી ગણેશ મંદિરમાં 200 વર્ષ જૂની સિંજારા પરંપરા હેઠળ બાપ્પાને મેંહદી અર્પણ કરી પ્રસાદ તરીકે આપવામાં આવે છે. તેને હાથે લગાડવાથી લગ્નની અડચણો દૂર થાય છે એવી માન્યતા છે.

1/5

photoStories-logo

1. મોતી ડુંગરી ગણેશ મંદિર

જયપુરમાં આવેલું મોતી ડુંગરી ગણેશ મંદિર ભક્તો માટે એક ખાસ સ્થાન ધરાવે છે. અહીંની ભવ્યતા તો છે જ પણ તેનાથી પણ વધુ આકર્ષણ છે તેની અનોખી પરંપરા. ગણેશ ચતુર્થી આવે ત્યારે આ મંદિરમાં ગણપતિ બાપ્પાને મેંહદી ચઢાવવાનો રિવાજ ખૂબ જરૂરી માનવામાં આવે છે. પૂજા પૂરી થયા બાદ આ જ મેંહદીને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે અને તેને હાથે લગાડવાની પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માન્યતા

લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે આ પવિત્ર મેંહદીના સ્પર્શથી લગ્નમાં આવેલી અડચણો દૂર થઈ જાય છે અને લગ્નના સારા યોગ ઊભા થાય છે. એટલે જ દર વર્ષે અસંખ્ય કુંવારા યુવાનો અને યુવતીઓ આ ખાસ પ્રસાદ મેળવવા માટે મંદિર તરફ દોડી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સિંજારા પરંપરા

અમુક તો મનોકામના પૂરી થયા બાદ આભાર વ્યક્ત કરવા ફરીથી મંદિરની મુલાકાત પણ લે છે. આ રિવાજને સિંજારા કહેવામાં આવે છે અને તેની ઉંમર લગભગ 200 વર્ષ જેટલી છે. શરૂઆતના દિવસોમાં માત્ર સવા કિલો જેટલી મેંહદીથી કામ ચાલી જતું હતું. પરંતુ સમય સાથે આ પરંપરા વિસ્તૃત થઈ અને હવે રાજસ્થાનના સોજત વિસ્તારમાંથી હજારો કિલો મેંહદી મંગાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 3500 કિલો મેંહદીની વ્યવસ્થા

આ વર્ષે તો આશરે 35 ક્વિન્ટલ એટલે કે 3500 કિલો મેંહદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ મોતી ડુંગરીનું આ મેંહદી પ્રસાદ માત્ર એક ધાર્મિક વિધિ નથી રહ્યું પણ અનેક યુવાનોની આશા અને વિશ્વાસનું જીવંત પ્રતીક બની ગયું છે. જેથી યુવક યુવતીઓ તેને મેળવવા એક્સાઈટેડ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Temple Moti Dungri Temple mehndi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ