ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં થશે ઉજવણી, અમિત શાહ જગન્નાથ મંદિરમાં કરશે આરતી
Last Updated: 09:05 PM, 14 September 2026
ADVERTISEMENT
આગામી 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ પ્રસંગે અમદાવાદમાં ભવ્ય ઉજવણી થવાની છે. 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને તેઓ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંજે 6.15 કલાક આસપાસ જગન્નાથ મંદિરમાં આરતી કરશે. આરતી બાદ બન્ને કાંકરિયા પરિસર જશે અને 6.30 થી 7 કલાક વચ્ચે દિવડો પ્રગટાવશે.
ADVERTISEMENT
સમગ્ર ગુજરાતમાં 6 લાખ દીપ પ્રગટાવશે
આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં આશીર્વાદનો દિવડો કાર્યક્રમ રાખવામાં આવશે અને 6 લાખ દીપ પ્રગટ્યા કરી ઉજવણી કરવામાં આવશે. સરકારી આવાસમાં વસતા નાગરિકોને પોતાના ઘરની બાલ્કનીમાં દિવડો પ્રગટાવવાની પણ અપીલ કરાઈ છે.
ADVERTISEMENT
એક મહિના સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે
ADVERTISEMENT
17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 સુધી એક મહિનાના સમયગાળા માટે 13 વિશેષ લોકઉપયોગી કાર્યક્રમો યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.