ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:03 PM, 14 September 2026
ADVERTISEMENT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેલેન્ડર મુજબ આવતીકાલે મંગળવારે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તમે 15 સપ્ટેમ્બરે બેંકનું કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તમારા રાજ્યમાં બેંકો ખુલ્લી છે કે નહીં તે જાણી લેજો.
ADVERTISEMENT
15 સપ્ટેમ્બર મંગળવારે ગુજરાત, ગોવા, ઓડિસામાં બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. ગોવા, ગુજરાત, ઓડિશામાં સંવત્સરી, નુઆખાઈ અને ગણેશ ચતુર્થી (બીજો દિવસ)ના કારણે બેંકો બંધ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા, એક્સીસ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે.
આ રાજ્યો સિવાયના બાકીના રાજ્યોમાં બેંકો રાબેતા મુજબ ચાલુ રહેવાની છે જ્યારે ગુજરાત, ઓડિસા અને ગોવામાં બેંકો બંધ રહેવાની છે આ રાજ્યોમાં સંવત્સરી, ગણેશ મહોત્સવ અને નુઆખાઇ પર્વની ઉજવણીને લઇ બેંકો બંધ રહેવાની છે. ગ ણેશ ચતુર્થીના બીજા દિવસે ઘરો અને પૂજા પંડાલોમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સંવત્સરીનો તહેવાર પણ મહત્વનો છે.
ADVERTISEMENT
નુઆખાઈ એ ઓડિશામાં એક કૃષિ ઉત્સવ છે. આ તહેવાર નવી લણણીનું સ્વાગત કરવાની અને તેને પહેલા દેવી-દેવતાઓને અર્પણ કરવાની પરંપરા સાથે સંકળાયેલ છે. પરિવારો સાથે મળીને પૂજા કરે છે અને નવા અનાજમાંથી બનાવેલ ખોરાક લે છે. નુઆખાઈ દ્વારા ખેડૂતો પ્રકૃતિ અને કૃષિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મુંબઈ / "મારી પુત્રીનો ગેંગરેપ થયો, હત્યા થઈ", દિશા સાલિયાન કેસમાં CBIની FIRમાં શું શું લખેલું છે?
સંવત્સરી
ADVERTISEMENT
સંવત્સરી જૈન ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે, જેને ક્ષમા અને આત્મનિરીક્ષણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો વિચાર, શબ્દ અને કર્મમાં થયેલી ભૂલો માટે ક્ષમા માંગે છે અને બીજાઓને પણ માફ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ