ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવા જોઈએ કે નહીં? ભૂલથી પણ ના કરતા આ ભૂલ, નહીંતર લાગશે લાંછન
6 ફોટો ગેલેરી
Last Updated: 06:10 PM, 14 September 2026
1/6
આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે. ભાદરવા સુદની આ તિથિએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું સ્વાગત ઘર-ઘરમાં થાય છે. જેમાં ભક્તો મોદક બનાવે છે, આરતી ગાય છે અને ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. પરંતુ આ શુભ અવસરે એક ખાસ સાવધાની રાખવી જરૂરી માનવામાં આવે છે. જે છે ચંદ્રદર્શન ન કરવું.
2/6
ADVERTISEMENT
3/6
જો કોઈ ભૂલથી ચંદ્રના દર્શન કરી લે તો તેના પર ચોરીનો ખોટો આરોપ લાગી શકે છે. ઓપોઝીટ સેક્સ દ્વારા ચારિત્ર્ય પર લાંછન લાગવાની સંભાવના રહે છે. સમાજ કે પોતાના પરિવારમાં અકારણ શંકા અને અવિશ્વાસ ઊભો થઈ શકે છે. સામાન્ય વાતોનો પણ ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. અમુકવાર ખોટા કોર્ટ-કચેરીના મામલામાં પણ વ્યક્તિ ફસાઈ શકે છે અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.
4/6
આ માન્યતા પાછળ પૌરાણિક કથા છે. જેમાં એક વાર ભગવાન ગણેશ પોતાના વાહન મૂષક પર સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે ચંદ્રદેવે તેમનું મજાક ઉડાવી. આથી ગણેશજીને ક્રોધ આવ્યો અને તેમને ચંદ્રને શ્રાપ આપ્યો કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જે કોઈ તારા દર્શન કરશે તો તેના પર ખોટો આરોપ લાગશે. ત્યારથી આ દિવસે ચંદ્રદર્શન ટાળવાની પરંપરા ચાલી આવે છે.
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ