ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના ગારિયાધારમાં પાટીદાર ખેડૂત પર ધારિયાથી જીવલેણ હુમલો, પાકમાં બકરા ચરાવવાની ના પાડતા હુમલો
Last Updated: 07:51 PM, 14 September 2026
ADVERTISEMENT
ભાવનગરના ગારિયાધારમાં પાટીદાર ખેડૂત પર જીવલેણ હુમલો કરાયો હતો. ઊભા પાકમાં બકરા ચરાવવાની ના પાડતા હુમલો કરાયાનો આક્ષેપ છે. જીગ્નેશ પાટીદાર નામના ખેડૂત પર ધારિયાથી હુમલો કરાયો હતો. જેમને માથાના ભાગે ધારિયાના બે ઘા ઝીંકાયા હતા. જીગ્નેશ પાટીદારે બચવા માટે આડો હાથ કરતા હાથ પર પણ ધારિયું વાગ્યું હતું.
ADVERTISEMENT
હાથમાં ફ્રેક્ચર સહિત પગના ભાગે પણ ઈજા
હાથમાં ફ્રેક્ચર સહિત પગના ભાગે પણ ઈજા થઈ હતી. ગંભીર ઈજાગ્રસ્ત ખેડૂતને ગારિયાધાર હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર બાદ પાલિતાણા રિફર કરાયો હતો.
ADVERTISEMENT
ઘટનાને પગલે પાટીદારોમાં રોષ
આ ઘટનાને પગલે પાટીદારોમાં રોષ વ્યાપ્યો છે અને આરોપીને કડકમાં કડક સજાની માંગ ઉઠી છે.
ADVERTISEMENT
2025માં પણ પાટીદાર કપલ પર હુમલો
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં 2025માં પણ પાટીદાર દંપતી પર જીવલેણ હુમલો થયો હતો. પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામના જ આઠેક જેટલા લોકોએ આ હુમલો કર્યો હોવાનાં આક્ષેપ થયા હતા. આ ઘટના બાદ પાટીદાર સમાજનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.