ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / દુલ્હન શોધવામાં મદદ કરો! માથે સાફો બાંધીને દુલ્હેરાજા પહોંચી ગયા DM ઓફિસ

અજબ ગજબ / દુલ્હન શોધવામાં મદદ કરો! માથે સાફો બાંધીને દુલ્હેરાજા પહોંચી ગયા DM ઓફિસ

Published By: Nirav Kumar

Last Updated: 08:25 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલાપુરના 28 વર્ષીય બેરોજગાર ખેડૂત કિસાનદેવે સાફો બાંધીને સરકારી કચેરી બહાર ધરણા આપીને દુલ્હન શોધવા, 1 લાખનું અનુદાન અને વ્યાજમુક્ત લોનની માંગ કરી છે. આ અનોખા આંદોલને સામાજિક મીડિયા પર ચર્ચા ઊભી કરી છે.

ADVERTISEMENT

લગ્ન માટે છોકરો-છોકરી મેળવવાનું કામ સામાન્ય રીતે પરિવાર અને સગા-સંબંધીઓનું માનવામાં આવે છે. પણ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક યુવાને સીધા સરકાર પાસે જઈને મદદ માંગી લીધી. સોલાપુર જિલ્લાના મોહોલ તાલુકાના કુરુલ ગામના 28 વર્ષીય કિસનદેવ દત્તાત્રેય નાનવરેએ લગ્ન માટે છોકરી ન મળવાની સમસ્યાને લઈને એક અનોખું આંદોલન શરૂ કર્યું. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુવાને સાફો બાંધીને સરકારી કચેરીમાં પહોંચી જવાનું પસંદ કર્યું. તેનો આ અંદાજ હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો

યુવાન સરકારી ઓફીસમાં કેમ પહોંચ્યો?

જેમાં કિસાનદેવનું કહેવું છે કે, તેઓ ખેડૂત પરિવારના છે અને હાલ બેરોજગાર છે. તેમની પાસે આશરે અડધો એકર જમીન છે. આજના સમયમાં લગ્ન માટે મોટાભાગની છોકરીઓ અને તેમના પરિવારો એવા છોકરાને પ્રાથમિકતા આપે છે જે સારી રીતે ભણેલો હોય, સરકારી નોકરીમાં હોય કે તેની સારી પગાર હોય. આવી સ્થિતિમાં નાના ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે લગ્ન કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ જ સમસ્યાને ઉઠાવવા માટે તેને એક દિવસીય ધરણા આંદોલન કર્યું.

કિસનદેવની ચાર મોટી માંગણીઓ

તેમનું કહેવું છે કે વહીવટ અને સમાજે ખેડૂતો તથા બેરોજગાર યુવાનોના લગ્ન માટે મદદ કરવી જોઈએ. સરકારે આને માત્ર વ્યક્તિગત મામલો ન માનીને સામાજિક સમસ્યા તરીકે જોવી જોઈએ. તેમની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે.

  1. દુલ્હન શોધવામાં સરકારી મદદ: સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સર્વધાર્મિક સરકારી વિવાહ નોંધણી/મેળવણી કેન્દ્ર શરૂ કરવામાં આવે, જ્યાં ખેડૂતો અને બેરોજગાર યુવાનોને લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવામાં સહાય મળે.
  2. 1 લાખ રૂપિયાનું લગ્ન અનુદાન: લગ્ન થનારા ખેડૂત અને બેરોજગાર યુવાનોને સરકાર તરફથી 1 લાખ રૂપિયાનું વિશેષ લગ્ન અનુદાન આપવામાં આવે.
  3. 2 લાખ રૂપિયાનું ઘરકુલ: સંસાર માટે હક્કનું છાપરું મળે તે માટે 2 લાખ રૂપિયાનું ઘરકુલ અનુદાન તાત્કાલિક મંજૂર કરવામાં આવે.
  4. 2 લાખ રૂપિયાનું વ્યાજમુક્ત લોન: સ્વાવલંબન અને નાનો-મોટો વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાનું વગર જામીનદાર અને વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવે.

વધુ વાંચો : VIDEO : 'મેરી લાડલી રે' દીકરીએ ગર્ભમાંથી પિતાને આપ્યો જવાબ, વીડિયો જોઈને ભાવુક થઈ જશો

આ યુવાનનું આંદોલન સોલાપુરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તેને સ્પષ્ટ કહ્યું છે કે માંગણીઓ માન્ય ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન છોડવા નથી માંગતા. નાના ખેડૂતો અને બેરોજગાર યુવાનોના લગ્નની મુશ્કેલીને લઈને તેને સીધું સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unusual protest unemployed farmer

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ