ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / શુક્રનું રાશિ પરિવર્તન કાલે, નવેમ્બર સુધી આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ!
6 ફોટો ગેલેરી
Last Updated: 09:33 PM, 1 September 2026
1/6
સુખ અને સમૃદ્ધિના કારક શુક્ર 2 સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર 6 નવેમ્બર સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રીઓના મતે તુલા રાશિમાં શુક્રનું આ પ્રવેશ ચાર રાશિઓ માટે ખાસ લાભકારક સાબિત થશે. આ રાશિઓને કરિયર, વ્યવસાય, આર્થિક બાબતો અને સ્વાસ્થ્યના મોરચે સારા પરિણામો મળી શકે છે.
2/6
તમારા માટે શુક્ર બીજા અને સાતમા ભાવના સ્વામી માનવામાં આવે છે. જેમાં ગોચર દરમિયાન શુક્ર સાતમા ભાવમાં રહેશે. આથી અનેક બાબતોમાં અનુકૂળ પરિણામો મળવાની સંભાવના છે. જેમાં કલા અને સર્જનાત્મક કાર્યોમાં વધુ સારું પ્રદર્શન થઈ શકે છે. ખરીદીના યોગ બનશે, લાંબા સમયથી અટવાએલા કામો પૂરા થઈ શકે છે અને મહેનતનું સારું ફળ મળવાની આશા છે. ધનલાભના અવસરો પણ ઊભા થઈ શકે છે. પરીક્ષા અને સ્પર્ધાત્મક કાર્યોમાં મનગમતા પરિણામો મળવાના સંકેત છે.
ADVERTISEMENT
3/6
તમારા માટે શુક્ર પાંચમા અને બારમા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં શુક્ર પાંચમા ભાવમાં ગોચર કરશે. આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહી શકે છે. અભ્યાસ સંબંધિત બાબતોમાં વધુ સારા પરિણામો મળી શકે છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે અને પરસ્પર સંબંધો સુધરી શકે છે. રોકાણની કોઈ યોજના સફળ થવાના સંકેત છે. આવકના નવા અવસરો ઊભા થઈ શકે છે અને સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરનારાઓને પણ સફળતા મળી શકે છે.
4/6
તમારા માટે શુક્ર ત્રીજા અને દસમા ભાવના સ્વામી માનવામાં આવે છે. ગોચર દરમિયાન શુક્ર ત્રીજા ભાવમાં રહેશે. આ સ્થિતિથી કામકાજમાં સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે. જેમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તમારા પ્રયત્નોને સફળતા મળી શકે છે અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાના નવા માર્ગો ખુલી શકે છે. નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં પણ વધુ સારા અવસરો મળવાના સંકેત છે.
ADVERTISEMENT
5/6
તમારા માટે શુક્ર સાતમા અને બારમા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં શુક્ર બારમા ભાવમાં રહેશે. આ સમયે ઘરમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે. ભેટ મળવાના યોગ બની શકે છે અને યાત્રાના અવસરો સામે આવી શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. જેમાં અંગત જીવનમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ