ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નેપાળ જળપ્રલય વચ્ચે આણંદનો પરિવાર ફસાયો, ધર્મજના 4 NRI સભ્યો સંપર્કવિહોણા

ગુજરાત / નેપાળ જળપ્રલય વચ્ચે આણંદનો પરિવાર ફસાયો, ધર્મજના 4 NRI સભ્યો સંપર્કવિહોણા

Published By: Nidhi Panchal

Last Updated: 10:01 AM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં આવેલા જળપ્રલય વચ્ચે આણંદના વધુ એક પરિવારના ચાર સભ્યો સંપર્કવિહોણા બનતા ધર્મજ ગામમાં ચિંતા ફેલાઈ છે. NRI પરિવારના ચારેય સભ્યો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા અને પૂર બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા જળપ્રલય વચ્ચે આણંદના ધર્મજ ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ધર્મજ ગામના એક NRI પરિવારના ચાર સભ્યો નેપાળમાં સંપર્કવિહોણા બન્યા છે. પરિવારના ચારેય સભ્યો કૈલાસ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. નેપાળમાં પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ તેમના પરિવારજનો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જેના કારણે ધર્મજ ગામમાં રહેતા પરિવારજનોમાં ચિંતા વધી છે.

rajkot

મળતી માહિતી મુજબ, NRI પરિવારના સભ્યો અમેરિકા અને કેનેડાથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ નેપાળ ગયા હતા. પરિવારના સભ્યો કૈલાસ માનસરોવર યાત્રા માટે ગયા હોવાથી તેઓ નેપાળમાં હતા. પરંતુ નેપાળમાં જળપ્રલય અને પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ ચારેય સભ્યો સાથે સંપર્ક થઈ શક્યો નથી. ચારેય સભ્યોનો એકસાથે સંપર્ક તૂટતા ધર્મજ ગામે રહેતો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી છે. માહિતી મળ્યા બાદ તંત્ર દ્વારા પણ પરિવારના સભ્યો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી ચારેય સભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી.

rajkot-2

અમેરિકા-કેનેડાથી દિલ્હી આવ્યા બાદ નેપાળ ગયા હતા

આ પરિવારના સભ્યો અમેરિકા અને કેનેડાથી ભારત આવ્યા હતા. તેઓ પહેલા દિલ્હી પહોંચ્યા હતા અને ત્યારબાદ નેપાળ ગયા હતા. કૈલાસ માનસરોવર યાત્રા માટે ગયેલા પરિવારના ચાર સભ્યો નેપાળમાં કયા સ્થળે છે અને હાલ તેમની સ્થિતિ કેવી છે તે અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. પૂર બાદ સંપર્ક તૂટતા પરિવારજનો તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. ધર્મજ ગામના પરિવારજનોને આશા છે કે તંત્ર અને સંબંધિત એજન્સીઓના પ્રયાસથી ચારેય સભ્યોનો ટૂંક સમયમાં સંપર્ક થઈ શકશે. હાલ પરિવારના સભ્યો તરફથી કોઈ માહિતી મળે તેની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં હવે પાણી-ગટર કનેક્શન માટે ઓનલાઇન અરજી ફરજિયાત, ફી પણ ઓનલાઈન ભરાશે

આણંદના કુલ 8 લોકો સંપર્કવિહોણા

નેપાળમાં પૂર આવ્યા બાદ આણંદ જિલ્લાના લોકો માટે ચિંતા વધુ વધી છે. અત્યાર સુધી આણંદના કુલ 8 લોકો સંપર્કવિહોણા હોવાની માહિતી સામે આવી છે. તેમાં હવે ધર્મજ ગામના આ NRI પરિવારના ચાર સભ્યોનો પણ સમાવેશ થાય છે. નેપાળમાં જળપ્રલયના કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઉભી થઈ છે અને લોકોની અવરજવર તથા સંપર્ક વ્યવસ્થા પર પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં યાત્રા માટે ગયેલા લોકોના પરિવારજનો સતત ચિંતામાં છે. આણંદના આ પરિવારના ચારેય સભ્યોનો સંપર્ક ક્યારે થાય છે અને તેમની સ્થિતિ અંગે ક્યારે સત્તાવાર માહિતી મળે છે તેના પર પરિવારજનો સહિત સૌની નજર છે. તંત્ર દ્વારા સંપર્કવિહોણા બનેલા લોકો અંગે માહિતી મેળવવા અને શક્ય તેટલી ઝડપથી તેમના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ધર્મજ ગામના પરિવારજનો હાલ ચારેય સભ્યો સુરક્ષિત હોવાની આશા સાથે તેમના સંપર્કની રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood NRI Family Anand Nepal Flood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ