ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર લઠ્ઠાકાંડમાં 3 આરોપીઓની દિલ્હીથી ધરપકડ, ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવીને લવાશે ગુજરાત
Last Updated: 09:30 PM, 27 August 2026
ADVERTISEMENT
Bhavnagar News: ભાવનગર દારૂકાંડની તપાસમાં એસએમસીને મોટી સફળતા મળી છે. દારૂમાં વપરાયેલો મિથેનોલનો જથ્થો દિલ્લીથી મોકલાયો હોવાનું ખૂલ્યું છે. દિલ્લીના પ્રમોદકુમાર બુડાકોટીએ મિથેનોલનું વેચાણ કર્યુ હતું.
ADVERTISEMENT
દિલ્લીના રોહિત પ્રધાન અને કેશવ જાટે અમદાવાદમાં જથ્થો પહોંચાડ્યો હતો. બંને આરોપીઓએ ટ્રાન્સપોર્ટમાં મિથેનોલનો જથ્થો પહોંચાડ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્રણેય આરોપીઓને ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવીને ગુજરાત લવાશે. દિલ્હીથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ 31 આરોપીઓની ધરપકડ કરી છે.
નોધનીય છે કે, ભાવનગરમાં સામે આવેલા ઝેરી દારૂકાંડને લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જપ્ત કરાયેલા પ્રવાહીના નમૂનામાં 38.59 ટકા મિથેનોલ મળી આવ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94 ટકા નોંધાયું છે. આ તારણથી પીડિતોએ પીધેલું પ્રવાહી સામાન્ય દારૂ નહીં પરંતુ અત્યંત ઝેરી મિથેનોલયુક્ત પ્રવાહી હોવાની શંકા વધુ મજબૂત બની છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મેંદરડામાં ગાયે સિંહને હંફાવ્યો, શિકાર કર્યા વગર જ ભાગ્યો ‘જંગલનો રાજા’
ADVERTISEMENT
નકલી દારૂના સેવનને કારણે આ દર્દીઓની તબિયત અચાનક લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ