ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળના રસુવામાં વિનાશક પૂર બાદ પણ ખતરો યથાવત્, અવરોધ તૂટે તો ભોટે કોશી-ત્રિશૂલીમાં ફરી આવી શકે પૂર
Last Updated: 03:13 PM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળના રસુવા જિલ્લામાં ૨૬ ઓગસ્ટે અચાનક આવેલા વિનાશક પૂર બાદ ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે નેપાળ-ચીન સરહદ નજીક નદીના ઉપરવાસમાં બરફ, ચટ્ટાનો અને કાટમાળના કારણે સર્જાયેલો અવરોધ હજુ પણ યથાવત્ હોઈ શકે છે. જો આ અવરોધ પાછળ જમા થયેલું પાણી અચાનક બહાર નીકળશે તો ભોટે કોશી અને ત્રિશૂલી નદીમાં ફરી એક શક્તિશાળી પૂરની લહેર આવી શકે છે.
ADVERTISEMENT

આ ચેતવણી કાઠમંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઈસીઆઈએમઓડી) દ્વારા આપવામાં આવી છે. આઈસીઆઈએમઓડી હિંદુકુશ-હિમાલય ક્ષેત્રના અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, ચીન, ભારત, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાન એમ આઠ દેશો માટે કાર્ય કરતી આંતર-સરકારી સંસ્થા છે.
ADVERTISEMENT
આઈસીઆઈએમઓડી અને નેપાળ-ચીનની ભાગીદાર સંસ્થાઓના વૈજ્ઞાનિકો હાલ પૂરનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ઊંચાઈવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં બરફ અને ચટ્ટાનોનું હિમસ્ખલન થયું હશે અને તેનો કાટમાળ ભોટે કોશી નદીની સહાયક લ્હેન્દે ખોલામાં પડતાં નદીનો પ્રવાહ અચાનક અવરોધાયો હોઈ શકે છે. આ અવરોધ પાછળ મોટી માત્રામાં પાણી જમા થયા બાદ કુદરતી બંધ તૂટી પડ્યો હોય અને પાણી, કાટમાળ તથા મોટા પથ્થરોની શક્તિશાળી લહેર નીચે તરફ ધસી આવી હોય તેવી શક્યતા પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આઈસીઆઈએમઓડીના ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટલ રિસ્ક વિભાગના વડા કિયાંગગોંગ ઝાંગના જણાવ્યા મુજબ લ્હેન્દે ખોલામાં બરફના હિમસ્ખલનને હાલ સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું ચોક્કસ કારણ હજુ નક્કી થયું નથી. સૌથી મોટી ચિંતા એ છે કે નેપાળ-ચીન સરહદના ઉપરવાસ વિસ્તારમાં અવરોધ હજુ હાજર હોવાનું માનવામાં આવે છે. આ કારણે બીજી વખત અચાનક પાણી છોડાવાનો ખતરો સર્જાયો છે. આઈસીઆઈએમઓડી અનુસાર સરહદની ચીની બાજુ આવેલા જિલોંગ પોર્ટ વિસ્તારમાં પણ સ્થળાંતર સંબંધિત ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
૨૬ ઓગસ્ટે સવારે સ્થાનિક સમય પ્રમાણે લગભગ નવ વાગ્યે ભોટે કોશી નદીના જળસ્તરમાં અત્યંત ઝડપથી વધારો નોંધાયો હતો. પૂરની લહેર ભોટે કોશીમાંથી આગળ વધીને ત્રિશૂલી નદીમાં પ્રવેશી હતી. આઈસીઆઈએમઓડીના હાઇડ્રોલોજિકલ અવલોકન મુજબ ગલ્છીમાં ત્રિશૂલી નદીનું જળસ્તર માત્ર ૩૦ મિનિટમાં લગભગ નવ મીટર, જ્યારે મલેખુમાં લગભગ સાત મીટર વધી ગયું હતું. પાણીમાં થયેલો આ અસામાન્ય વધારો ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણી અને કાટમાળ એકસાથે નીચે ધસી આવ્યાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પૂરની લહેર ભોટે કોશીમાંથી ત્રિશૂલી નદી તરફ આગળ વધતાં રસુવા ઉપરાંત નુવાકોટ અને ધાડિંગ જિલ્લાના નદીકાંઠાના વિસ્તારો માટે પણ ચિંતા વધી છે. સ્થાનિક તંત્રએ નદી કિનારે રહેતા લોકો, કામદારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા કર્મચારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. આ વિસ્તારમાં આવી ઘટના નવી નથી. જુલાઈ-૨૦૨૫માં પણ રસુવાગઢી વિસ્તારની લ્હેન્દે નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેમાં નેપાળ-ચીનને જોડતા પુલ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નુકસાન પામ્યું હતું. તેથી સતત બીજા વર્ષે એક જ વિસ્તારમાં સર્જાયેલી આ પ્રકારની ઘટનાએ હિમાલયના વિસ્તારમાં વધતા જોખમ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ