ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / TAT પરીક્ષાને લઈ 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજા ? શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા
Last Updated: 05:21 PM, 24 August 2026
ગાંધીનગર: રાજ્યમાં TATની પરીક્ષાને લઈને ફરજિયાત રજા અંગેનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે. રાજ્ય શિક્ષણ વિભાગના નામે વાયરલ થયેલા આ પત્રમાં 20 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

શિક્ષણ વિભાગે પત્ર આપ્યો જ નથી
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્ર અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ફરજિયાત રજા બાબતે વિભાગ દ્વારા આવો કોઈ પત્ર બહાર પાડવામાં આવ્યો નથી. વાયરલ પત્રમાં આપવામાં આવેલી વિગતો પણ સત્ય નથી.
ADVERTISEMENT
પત્રમાં રજા અંગે કરવામાં આવ્યો હતો ઉલ્લેખ
વાયરલ થયેલા પત્રમાં TATની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફરજિયાત રજા અંગેની સૂચનાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 20 સપ્ટેમ્બર સુધી રજા હોવાની વિગતો પણ પત્રમાં દર્શાવવામાં આવી હતી. જેના પગલે શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ હતી.
ADVERTISEMENT
વાયરલ થયેલ પત્ર

ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થતાં સ્પષ્ટતા
પત્ર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગે સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થયેલો પત્ર સત્તાવાર નથી અને તેમાં દર્શાવવામાં આવેલી વિગતોને સાચી માનવી નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'આજે તને અને તારા શેઠને જીવતા નહીં છોડું' કહી કર્મચારી પર છરીના ઘા ઝીંક્યા
ઉમેદવારો અને શાળાઓને અપીલ
શિક્ષણ વિભાગે વાયરલ મેસેજ કે પત્રના આધારે કોઈ નિર્ણય ન લેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. TATની પરીક્ષા અથવા રજા અંગેની કોઈપણ સત્તાવાર જાહેરાત વિભાગ તરફથી કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.