ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસું આવ્યું પણ ફળ્યું નહીં, છતા વરસાદે ગુજરાત રહ્યું તરસ્યું
Last Updated: 03:26 PM, 24 August 2026
ગુજરાતના ચોમાસાએ આ વર્ષે એક વિચિત્ર વિરોધાભાસ સજર્યો છે. અમદાવાદ અને સુરત જેવાં શહેરમાં મારે પાણી ભરાઈ જવાં અને અતિભારે વરસાદનાં દૃશ્યો જોવા મળ્યાં છે, જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યા છે. આ અસમાન વરસાદી પેટર્નને કારણે અલ નીનોની મજબૂત અસર અને ચોમાસાની બાકીની -સિઝન માટે તેના સંભવિત પરિણામો અંગે નવા સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કુલ ૬૮૦ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે રાજ્યના વાર્ષિક સરેરાશ વરસાદના આશરે ૭૫ ટકા જેટલો છે. જોકે,રાજ્યની સરેરાશ તસવીર પાછળ વરસાદનું વિતરણ અત્યંત અસમાન હોવાનું સ્પષ્ટ થાય છે.
એક જ રાજ્યમાં બે પ્રકારનું ચોમાસું
ADVERTISEMENT
વરસાદની જિલ્લાવાર સ્થિતિમાં મોટો તફાવત છે. વલસાડમાં ૭૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં સામાન્ય કરતાં ૫૦ ટકા ઓછો વરસાદ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની ૭૩ ટકા ઘટ નોંધાઈ છે, જ્યારે પોરબંદરમાં વરસાદની ૪૦ ટકા અછત છે.
આ પણ વાંચોઃ ગુજરાતીઓએ મુસાફરી પર બ્રેક મારી? આ કારણે ટ્રાવેલ બિઝનેસમાં 40% નો ઘટાડો નોંધાયો
ADVERTISEMENT
આ આંકડા દર્શાવે છે કે અલ નીનોનો અર્થ સમગ્ર રાજ્યમાં એકસરખો ઓછો વરસાદ એવો જરૂરી નથી, જેના કારણે એક વિસ્તાર ભારે વરસાદમાં તરબોળ થઈ શકે છે, જ્યારે બીજો વિસ્તાર લાંબા સમય સુધી વરસાદની રાહ જોતો રહી શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તથા સિંચાઈ આધારિત મધ્ય ગુજરાત વચ્ચે આ તફાવત સ્પષ્ટ જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.