બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ‘મારું કામ લાઇક્સ-વ્યૂઝ નહીં, ટીમ ઇન્ડિયા માટે ટ્રોફી જીતવાનું છે’ ટીકાકારોને આપ્યો જવાબ

Gautam Gambhir / ‘મારું કામ લાઇક્સ-વ્યૂઝ નહીં, ટીમ ઇન્ડિયા માટે ટ્રોફી જીતવાનું છે’ ટીકાકારોને આપ્યો જવાબ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:48 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે તેમના ટીકાકારોને કડક જવાબ આપ્યો છે.

Team India: ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે તેમના ટીકાકારોને કડક જવાબ આપ્યો છે. ગંભીરે કહ્યું કે તેમનું કામ લાઈક્સ અને વ્યૂઝ મેળવવાનું નથી, પરંતુ ભારતીય ટીમ માટે ટ્રોફી જીતવાનું છે. તેમણે ટેસ્ટ રેન્કિંગને વધુ મહત્વ આપ્યું નથી અને કહ્યું કે ભારત સંઘર્ષ કરી રહ્યું નથી. ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પછી સારું ટેસ્ટ ક્રિકેટ રમ્યું છે.

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ) થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. મેચના એક દિવસ પહેલા, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેમની ટીકા અને ભારતના ટેસ્ટ પ્રદર્શન વિશે ખુલ્લેઆમ વાત કરી. ગંભીરે સ્પષ્ટપણે કહ્યું કે તેમનો ધ્યેય સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો નથી, પરંતુ ભારતીય ટીમ માટે ટ્રોફી જીતવાનો છે.

કેટલાક સમયથી ભારતના ટેસ્ટ રેકોર્ડ, ખાસ કરીને ટીમના પ્રદર્શન અને ગંભીરના કોચિંગ વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે બીજી ટેસ્ટની પૂર્વસંધ્યાએ ગંભીરે સ્પષ્ટ જવાબ આપ્યો.

ગૌતમ ગંભીરે કહ્યું કે તેમને ટીકા કે સોશિયલ મીડિયા લોકપ્રિયતા વિશે વધુ વિચારતા નથી. તેમનું એકમાત્ર ધ્યાન ભારતીય ટીમને સફળ બનાવવા અને ટ્રોફી જીતવા પર છે. ગંભીરે કહ્યું, "મારું કામ ટ્રોફી જીતવાનું છે. હું તેની કાળજી રાખું છું અને તેમાં વિશ્વાસ રાખું છું. મારું કામ લાઈક્સ અને વ્યૂઝ મેળવવાનું નથી."

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગંભીર ભારતના ટેસ્ટ પ્રદર્શન અંગે સતત ચર્ચામાં છે. હેડ કોચે સ્પષ્ટ કર્યું કે ટીમની સિદ્ધિઓ તેમના માટે બહારના અભિપ્રાય કરતાં વધુ મહત્વપૂર્ણ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / રવિન્દ્ર જાડેજાએ એવી શું ભૂલ કરી, કે ગૌતમ ગંભીરનો ચહેરો થઇ ગયો ગુસ્સાથી લાલચોળ

ખેલાડીઓને 1-2 મેચમાં ખરાબ પ્રદર્શન માટે બહાર નહી કરાય

ગંભીરે ખેલાડીઓને સતત તકો આપવાના તેમના વિઝનને પણ સ્પષ્ટ કર્યું. તેમનું માનવું છે કે ક્રિકેટમાં ઉતાર-ચઢાવ હોય છે, અને કોઈ પણ ખેલાડીને ફક્ત એક કે બે ખરાબ મેચના આધારે ટીમમાંથી પડતો મૂકવો જોઈએ નહીં. તેમણે કહ્યું, "ક્રિકેટમાં ઉતાર-ચઢાવ હોય છે. આપણે આપણા ખેલાડીઓને સાથ આપવો પડશે અને તેમને લાંબા ગાળાની તક આપવી પડશે. નિર્ણયો ફક્ત એક કે બે મેચના આધારે ન હોવા જોઈએ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Test Match Gautam Gambhir Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ