બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 22 August 2026
શુક્રવારે રાત્રે ઉત્તરાખંડના રૂરકીમાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રૂરકી-કાલીયાર કંવર માર્ગ પર ચાર બાઇક અકસ્માતનો ભોગ બની હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં છ અન્ય યુવાનો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને રસ્તા પર ચીસો અને મદદ માટે બૂમો સંભળાઈ હતી.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે રૂરકી અને બાજુહેરી વચ્ચેના કંવર ટ્રેક પર આ અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બે બાઇક સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક પર સવાર લોકો રસ્તા પર પટકાઈ ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી બે વધુ બાઇક પણ અકસ્માતગ્રસ્ત બાઇક અને રસ્તા પર પડેલા લોકોને અથડાઈ હતી. આમ, ગણતરીની સેકન્ડોમાં ચાર બાઇક અકસ્માતમાં સામેલ થઈ ગઈ હતી અને અનેક યુવાનો રસ્તા પર ઘાયલ હાલતમાં પડ્યા હતા.
ADVERTISEMENT
અકસ્મતમાં ચારેય બાઇકને ભારે નુકસાન થયું હતું. રસ્તા પર અનેક યુવાનો ઘાયલ પડ્યા હોવાની સ્થિતિ જોઈ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરી હતી. પસાર થતા લોકોએ પણ ઘાયલોને મદદ કરવાનું શરૂ કર્યું હતું અને તેમને શક્ય તેટલી ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
ADVERTISEMENT
અકસ્માની માહિતી મળતાં જ કાલીયાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કમલ મોહન ભંડારી અને રૂરકી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે ઘાયલોને એમ્બ્યુલન્સમાં બેસાડીને રૂરકી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. અકસ્માતમાં ઘાયલ નવ યુવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેમાંથી ત્રણ યુવાનોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાકીના છ ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર લઈ રહેલા છ ઘાયલોમાંથી એક યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
ત્રણ યુવાનોના મોતના સમાચાર મળતાં પોલીસ દ્વારા મૃતદેહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા યુવાનોની ઓળખ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. પોલીસે તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભાવનગર નકલી દારૂકાંડમાં 61 લોકો અસરગ્રસ્ત, 8ના મોત, 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળની પણ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે થયો અને ચારેય બાઇક એક પછી એક કેવી રીતે અથડાઈ તેની સમગ્ર હકીકત જાણવા માટે પોલીસ આસપાસના લોકો અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે. એક જ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત અને છ લોકો ઘાયલ થતાં રૂરકી-કાલીયાર કંવર રૂટ પર શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકો તથા ઘાયલોની ઓળખ સહિત અકસ્માતના કારણ અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT