બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'વંદે માતરમ' વિવાદ પર કંગના રનૌતે શર્મિલા ટાગોરને આપ્યો જવાબ, કહી દીધું કંઈક એવું કે...

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'વંદે માતરમ' વિવાદ પર કંગના રનૌતે શર્મિલા ટાગોરને આપ્યો જવાબ, કહી દીધું કંઈક એવું કે...

Last Updated: 05:22 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' અંગે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટેગોર દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ હવે એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે વળતો જવાબ આપ્યો છે.

1/5

photoStories-logo

1. 'વંદે માતરમ' વિવાદ પર કંગના રનૌતે શર્મિલા ટાગોરને આપ્યો જવાબ, કહી દીધું કંઈક એવું કે...

'વંદે માતરમ' ગીતને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટેગોરની ટિપ્પણી બાદ હવે કંગના રનૌતે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. શર્મિલા ટેગોરે ગીતના કેટલાક અંશો પર પોતાની અસંમતિ દર્શાવી હતી, જેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર તેમના વિચારોનું સન્માન કરવાની સાથે પોતાનો અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કંગના રનૌતે શું કહ્યું?

કંગના રનૌતે શર્મિલા ટેગોરના ઇન્ટરવ્યુનો વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. તેણે કહ્યું કે તે આ વાતની પ્રશંસા કરે છે કે શર્મિલાજીએ 'વંદે માતરમ' અંગે પોતાની વાંધાજનક બાબતો ખુલ્લેઆમ રજૂ કરી. જોકે, કંગનાએ ઉમેર્યું કે એક કલાકાર તરીકે તેમને શર્મિલાની કલા અને કવિતાને જોવાની દ્રષ્ટિ થોડી સંકુચિત લાગી. કંગનાના જણાવ્યા મુજબ, કોઈ કવિતા કે ગીતમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો હંમેશાં શાબ્દિક કે સીધો અર્થ ન લેવો જોઈએ. કલાકારો પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે રૂપકો, કલ્પનાઓ અને વિવિધ ઉદાહરણોનો સહારો લેતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 'વંદે માતરમ'ને ગણાવ્યું આઝાદીની ભાવના

કંગનાએ વધુમાં કહ્યું કે 'વંદે માતરમ'ને માત્ર એક ધાર્મિક દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. આ ગીત ભારત આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ભાવના છે અને દેશની અંદર છુપાયેલી શક્તિને જગાડવાનો સંદેશ આપે છે. સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતાં કંગનાએ કહ્યું કે જ્યારે તેઓ શક્તિશાળી અને ઊર્જાવાન યુવાનોની વાત કરતા હતા, ત્યારે તેમનો હેતુ કોઈ કુદરતી ઘટનાની આગાહી કરવાનો નહોતો, પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ અને શક્તિ જગાડવાનો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હિન્દુ-મુસ્લિમના સંકુચિત દ્રષ્ટિકોણથી ઉપર ઊઠીને એકબીજાને સમજવાની અપીલ

તેણે લોકોને હિન્દુ-મુસ્લિમના સંકુચિત દ્રષ્ટિકોણથી ઉપર ઊઠીને એકબીજાને સમજવાની અપીલ પણ કરી હતી. અલગ-અલગ માન્યતાઓ હોવા છતાં લોકો વચ્ચે પ્રેમ અને આપ્તજનતા જળવાઈ રહેવી જોઈએ તેવું કંગનાએ જણાવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. શર્મિલા ટેગોરે શું નિવેદન આપ્યું હતું?

એક ઇન્ટરવ્યુમાં શર્મિલા ટેગોરે કહ્યું હતું કે ઘણા ધાર્મિક લોકો એક જ ઈશ્વરમાં માનતા હોય છે (એકેશ્વરવાદ). તેમના મતે 'વંદે માતરમ'ના કેટલાક ભાગમાં અનેક દેવી-દેવતાઓનો ઉલ્લેખ આવે છે, તેથી એકેશ્વરવાદમાં માનતા લોકો માટે તે પંક્તિઓ ગાવી સહજ હોતી નથી. શર્મિલાએ સૂચન કર્યું હતું કે જો દેશના તમામ ધર્મના લોકોને સાથે લઈને ચાલવું હોય તો આ ગીતના માત્ર શરૂઆતના 2 પદ જ વધુ યોગ્ય છે. આ જ ટિપ્પણી પર કંગનાએ કલા, કવિતા અને રાષ્ટ્રભાવનાને વધુ વ્યાપક નજરીયાથી જોવાની વાત કહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VandeMataram SharmilaTagore KanganaRanaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ