બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:13 PM, 21 August 2026
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ToRમાં ફેરફારની માંગ ઉઠી છે. કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ કરવામાં આવી છે. ખાસ કરીને 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શનને લઈને પણ મોટો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.ત્યારે સવાલ એ છે કે શું સરકાર 8મા પગાર પંચના ToRમાં ફેરફાર કરી શકે છે? જાણવા માટે વાંચો આ મહત્વની માહિતી.
ADVERTISEMENT
જો બધું આયોજન મુજબ ચાલે તો 8મો પગાર પંચ આગામી વર્ષના પ્રથમ છ મહિનામાં પોતાની ભલામણો સરકારને સોંપી શકે છે. આ પહેલા કર્મચારીઓ અને પેન્શનર્સ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ToRમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શન અને ફેમિલી પેન્શનમાં ફેરફારનો મુદ્દો પણ મહત્વનો છે. ત્યારે સવાલ એ છે કે શું સરકારે મંજૂર કરેલા ToRમાં હવે ફેરફાર કરી શકાય? આવો જાણીએ સમગ્ર મામલો.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાથી ભારત પેન્શનર્સ સમાજ એટલે કે BPS અને ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશન એટલે કે AIDEF જેવા સંગઠનો ToRમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે. આ સંગઠનો ખાસ કરીને નૉન-કૉન્ટ્રિબ્યુટરી પેન્શન સ્કીમની અનફંડેડ કોસ્ટના ઉલ્લેખને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પેન્શનને માત્ર સરકારના ખર્ચ તરીકે જોવાને બદલે નિવૃત્ત કર્મચારીઓની આર્થિક સુરક્ષા તરીકે જોવી જોઈએ. આ માંગનો હેતુ નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોનું જીવનધોરણ સુધારવાનો છે.
ADVERTISEMENT
કર્મચારી સંગઠનોની માંગમાં 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શન અને ફેમિલી પેન્શનમાં ફેરફારનો મુદ્દો પણ સામેલ છે. સંગઠનો ઈચ્છે છે કે આવા પેન્શનર્સને પણ 8મા પગાર પંચની ભલામણોનો લાભ મળે. આ મુદ્દો પેન્શનર્સ માટે ખૂબ મહત્વનો બની શકે છે. જોકે આ ફેરફાર કરવો કે નહીં તેનો અંતિમ નિર્ણય સરકારની નીતિ પર નિર્ભર રહેશે.
ADVERTISEMENT
હાલમાં આ મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર અપડેટ સામે આવ્યો નથી. જોકે અગાઉના પગાર પંચોના ઉદાહરણો દર્શાવે છે કે ToRમાં જરૂરિયાત મુજબ ફેરફાર થઈ શકે છે. 5મા પગાર પંચના ToRમાં વર્ષ 1995 અને 1996 વચ્ચે ચાર વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. 6મા પગાર પંચના ToRમાં પણ બે વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. જ્યારે 7મા પગાર પંચની રિપોર્ટ રજૂ કરવાની સમયમર્યાદા વધારવા માટે સપ્ટેમ્બર 2015માં તેના ToRમાં ફેરફાર કરાયો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''રામ મંદિર ટ્રસ્ટે કોઇ ટેક્સ ચોરી નથી કરી'', ચંપત રાયનો ચોંકાવનારો દાવો
ADVERTISEMENT
કેન્દ્રીય કેબિનેટે 28 ઓક્ટોબર 2025ના રોજ સત્તાવાર નિવેદન દ્વારા 8મા પગાર પંચના ToRને મંજૂરી આપી હતી. ત્યારબાદ નવેમ્બર 2025માં 8મા પગાર પંચ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026માં પગાર પંચે પોતાની સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ દ્વારા પંચ પોતાની બેઠકો અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ શેર કરે છે. સાથે જ વિવિધ સ્ટેકહોલ્ડર્સ અને હિતધારકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.
8મો પગાર પંચ કર્મચારી યુનિયનો અને સ્ટેકહોલ્ડર્સ સાથે અલગ અલગ બેઠકો કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં કર્મચારી યુનિયનો અને સ્ટેકહોલ્ડર્સ સાથે આગામી બેઠક 31 ઓગસ્ટના રોજ યોજાશે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરે તમિલનાડુમાં બેઠક યોજાવાની છે. આવી બેઠકોમાં કર્મચારીઓ અને પેન્શનર્સ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અને સૂચનો પર ચર્ચા થઈ શકે છે. આ દરમિયાન ToRમાં ફેરફારની માંગ પણ ફરીથી મહત્વનો મુદ્દો બની શકે છે.
અત્યાર સુધી 8મા પગાર પંચના ToRમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. પરંતુ અગાઉના પગાર પંચોના રેકોર્ડને જોતા જરૂરિયાત મુજબ ToRમાં ફેરફાર કરવાની શક્યતા નકારી શકાય નહીં. ખાસ કરીને 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શનનો મુદ્દો સરકાર માટે નીતિગત નિર્ણયનો વિષય રહેશે. હવે આગામી બેઠકો અને સરકારના નિર્ણય પર કર્મચારીઓ તથા પેન્શનર્સની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT