બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:14 PM, 21 August 2026
1/6
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિનું નક્ષત્ર પરિવર્તન પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ મુજબ શનિ 20 ઓગસ્ટથી રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં છે અને 9 ઓક્ટોબર 2026 સુધી અહીં રહેશે. રેવતી નક્ષત્રના સ્વામી બુધ માનવામાં આવે છે. શનિ અને બુધના આ પ્રભાવને કારણે કેટલીક રાશિઓના કરિયર, પૈસા, સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર થઈ શકે છે.
2/6
મેષ રાશિના જાતકો માટે શનિનો આ નક્ષત્ર ગોચર ખર્ચ વધારી શકે છે. અચાનક અને બિનજરૂરી ખર્ચ થવાની શક્યતા રહે છે જેના કારણે બજેટ બગડી શકે છે. આ સમય દરમિયાન ઊંઘ અને માનસિક તણાવને લઈને પણ સાવધાની રાખવી જરૂરી છે. પૈસાની લેવડદેવડમાં બેદરકારી ન રાખો અને કોઈ મોટું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરો. કાર્યક્ષેત્રમાં પણ વધુ મહેનત કરવી પડી શકે છે.
3/6
સિંહ રાશિના જાતકો માટે આ સમય અચાનક આવતી મુશ્કેલીઓ અને કામમાં વિઘ્નો લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં બનતા કામ છેલ્લી ઘડીએ અટકી શકે છે. અધિકારીઓ અથવા સહકર્મીઓ સાથે મતભેદ થવાની શક્યતા પણ રહે છે. આ સમય દરમિયાન વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખો અને ખાવા-પીવાની બાબતમાં ધ્યાન આપો.
4/6
વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનો આ પ્રભાવ પાંચમા ભાવ સાથે જોડાયેલો રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે અને તેમને વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ અથવા તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. શેરબજાર અથવા અન્ય જોખમી રોકાણમાં પૈસા લગાવતા પહેલા સાવધાની રાખવી. સંતાનને લઈને પણ ચિંતા થઈ શકે છે.
5/6
શનિવારે સરસવનું તેલ એક વાટકીમાં લઈને તેમાં પોતાનું મોઢું જોઈને તે તેલ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકાય છે. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાની પણ ધાર્મિક માન્યતા છે. શનિદેવની અશુભ અસર ઘટાડવા માટે દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. શનિવારે હનુમાનજીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ 'ૐ શં शनैश्चराय नमः' મંત્રનો 108 વાર શ્રદ્ધાપૂર્વક જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા મુજબ આ ઉપાયો શનિ સાથે જોડાયેલી નકારાત્મક અસર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / ગુરુનો થશે સિંહ રાશિમાં પ્રવેશ, આ તારીખથી 5 જાતકોને લીલા લહેર
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / આજે સામસામે આવી જશે શનિ-શુક્ર! જેનાથી આ 5 જાતકો પર તૂટશે દુ:ખોનો પહાડ
ટોપ સ્ટોરીઝ