બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:49 PM, 21 August 2026
1/5
હાલમાં દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચના અહેવાલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલાં સૌની નજર જુલાઈ માસના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance - DA) થનારા વધારાની જાહેરાત પર ટકેલી છે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે - એક January માં અને બીજો July માં.
2/5
જાન્યુઆરીના ડીએ વધારાની જાહેરાત માર્ચ કે એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે, જ્યારે જુલાઈના ડીએ વધારાની જાહેરાત સામાન્ય રીતે સેપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થતી હોય છે. પરંતુ તહેવારોની મોસમ નજીક હોવાથી શું સરકાર આ વખતે રક્ષાબંધનના પવિત્ર અવસરે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપશે? આ અંગે નિષ્ણાતોએ મહત્વની બાબતો રજૂ કરી છે.
3/5
મોંઘવારી ભથ્થામાં વધારાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ જ ડીએ માં વધારો થતો રહેશે. મોદી સરકારે એપ્રિલ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરીને તેને 58% થી વધારીને 60% કર્યું હતું. હવે તેમાં ફરીથી 2 થી 3% નો વધારો થવાની પ્રબળ શક્યતા છે.
4/5
ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઇઝ ફેડરેશન અને નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ, ખાસ કરીને રક્ષાબંધન અને ઓણમને ધ્યાનમાં રાખીને સરકારે કર્મચારીઓનો પગાર 1-2 દિવસ વહેલો જારી કરી દેવો જોઈએ. આ સાથે જ જો સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની યોજના બનાવી રહી હોય, તો તેની જાહેરાત ઓગસ્ટના અંત સુધીમાં એટલે કે રક્ષાબંધનના અવસરે જ કરી દેવી જોઈએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ