બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડમાં 61 લોકો અસરગ્રસ્ત, 8ના મોત, 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાત / ભાવનગર નકલી દારૂકાંડમાં 61 લોકો અસરગ્રસ્ત, 8ના મોત, 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Published By: Nidhi Panchal

Last Updated: 06:55 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને તંત્ર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દારૂના સેવનથી કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 8 લોકોના મોત થયા છે અને 2 દર્દીઓના મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે.

ભાવનગર નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું કલેક્ટર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પૈકી 43 ભોગ બનનારાઓએ સારવાર લીધી છે, જ્યારે 18 લોકોએ ઔપચારિક સારવાર લીધી હોવાનું જણાવાયું છે. સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોની સારવાર અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 16 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Bhavnagar-daru-update

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 5 દર્દીઓને ICUમાં રાખવામાં આવ્યા છે. આ પૈકી એક દર્દીની હાલત ક્રિટિકલ હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું છે. બીજી તરફ, આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 2 દર્દીઓના મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ આંકડાઓની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.

પોલીસ તપાસ પણ તેજ કરવામાં આવી

નકલી દારૂકાંડને લઈને પોલીસ તપાસ પણ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 14 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જેમાં શરૂઆતમાં ઝડપાયેલા 13 આરોપીઓને કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા રઈશના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર કેસમાં આરોપીઓની ભૂમિકા, નકલી દારૂના સપ્લાય અને સમગ્ર નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓના 31 ઓગસ્ટે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા

આ કેસમાં તમામ આરોપીઓના 31 ઓગસ્ટે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલીસ તપાસ આગળ વધતાં નકલી દારૂકાંડ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : ‘દારૂના અડ્ડા બંધ કરો’ના નારા સાથે કોંગ્રેસનો હલ્લાબોલ, અનેક શહેરોમાં વિરોધ, વિક્રમ માડમે આપી ખુલ્લી ચેલેન્જ

દરમિયાન, ભાવનગરની આ ગંભીર ઘટનાને લઈને રાજકીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગરની મુલાકાત લેશે. તેઓ ભાવનગર પહોંચીને સમગ્ર ઘટનાની માહિતી મેળવશે અને અસરગ્રસ્ત પરિવારો તથા પરિસ્થિતિ અંગે જાણકારી મેળવશે. હાલ ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ આરોગ્ય તંત્ર, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake Liquor Deaths Bhavnagar Fake Liquor Case Bhavnagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ