બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જંતર-મંતર પર ફરી માહોલ ગરમાયો, UGC મુદ્દે વિરોધ, RAFએ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી

નેશનલ / જંતર-મંતર પર ફરી માહોલ ગરમાયો, UGC મુદ્દે વિરોધ, RAFએ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી

Published By: Pravin Joshi

Last Updated: 12:29 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જંતર-મંતર ખાતે UGC ના ઇક્વિટી નિયમો અને જાતિ આધારિત અનામત પ્રથા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા સવર્ણ સમાજના લોકોને દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થળ પરથી હટાવીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે UGC ના ઇક્વિટી નિયમો અને હાલની જાતિ આધારિત અનામત વ્યવસ્થા વિરુદ્ધ એકઠા થયેલા પ્રદર્શનકારીઓને શુક્રવારે સાંજે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા સ્થળ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા લોકોને બસોમાં ભરીને વિસ્તારમાંથી ખસેડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.

પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ

સ્થળ પર એકત્રિત થયેલા લોકો હાલની જાતિ આધારિત અનામત નીતિની સમીક્ષા કરવાની અને સરકારી યોજનાઓમાં આર્થિક આધારને પ્રાધાન્ય આપવાની માંગ કરી રહ્યા હતા. તેઓ UGC તથા SC-ST સંબંધિત જોગવાઈઓ અંગે સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા માંગતા હતા. પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આર્થિક રીતે નબળા લોકોને મળતી મદદના વિરોધમાં નથી, પરંતુ શિષ્યવૃત્તિ, ફી માફી અને કોચિંગ જેવી સુવિધાઓ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે જ મળવી જોઈએ. તે ઉપરાંત તેમણે અનામતમાં 'ક્રીમી લેયર' ની વ્યવસ્થા લાગુ કરવાની પણ માંગ કરી હતી.

પોલીસ કાર્યવાહી અને પરવાનગીનો વિવાદ

દિલ્હી પોલીસે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે 21 August ના રોજ અનામત સુધારાના મુદ્દે જંતર-મંતર પર કોઈ પ્રોટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સોશિયલ મીડિયા પર પ્રદર્શનની મંજૂરી મળી હોવાના દાવા કરતા વીડિયોને પોલીસે 'ખોટા અને ભ્રામક' ગણાવ્યા હતા. તેમ છતાં શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગતા પોલીસે બેરિકેડિંગ કરીને સુરક્ષા સઘન બનાવી દીધી હતી અને રેપિડ એક્શન ફોર્સ (RAF) સાથે મળીને કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ નેશનલ / પેલેટ ગન મામલે FIR નોંધાઈ, પીડિતો સાથે 5 કલાકથી ધરણા પર બેઠા હતા રાહુલ ગાંધી

BNSS કલમ 163 લાગુ

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ નિષેધાજ્ઞા લાગુ છે, જે મુજબ 5 કે તેથી વધુ લોકોના એકત્ર થવા, સરઘસ કાઢવા કે સભા યોજવા પર પ્રતિબંધ છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફેક ન્યૂઝ ન ફેલાવવા વિનંતી કરી છે, તેમજ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ReservationSystem DelhiPolice JantarMantar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ