બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પૂજા-પાઠ પછી દાન-દક્ષિણા આપવી જરૂરી કેમ હોય? શાસ્ત્રોમાં જણાવ્યા છે સાચા નિયમ અને રીત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / પૂજા-પાઠ પછી દાન-દક્ષિણા આપવી જરૂરી કેમ હોય? શાસ્ત્રોમાં જણાવ્યા છે સાચા નિયમ અને રીત

Last Updated: 10:58 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સનાતન ધર્મમાં દક્ષિણા એ માત્ર પૈસા નહીં પણ શ્રદ્ધા અને આદરનું પ્રતીક છે, જે દાનથી અલગ છે. તેમાં પૈસા, તાંબા-પિત્તળના વાસણ, ફળ, મિઠાઈ અને પીળા કપડા આપવા શુભ માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. સનાતન ધર્મમાં દક્ષિણાનું મહત્વ અને અર્થ

સનાતન ધર્મમાં ઘરમાં પૂજા-પાઠ, હવન કે કથા થાય ત્યારે તેના અંતે ‘દક્ષિણા’ આપવાની પરંપરા ખૂબ જૂની છે. સામાન્ય રીતે લોકો દક્ષિણાને માત્ર પૈસા આપવા સાથે જોડી દે છે પણ શાસ્ત્રો અનુસાર તેનો અર્થ ઘણો ઊંડો અને પવિત્ર છે. ધાર્મિક માન્યતા મુજબ દક્ષિણા એ પૂજા કરાવનાર ગુરુ કે ધાર્મિક વ્યક્તિ પ્રત્યેનો આદર વ્યક્ત કરવાનું એક માધ્યમ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દાન અને દક્ષિણામાં શું તફાવત ?

ઘણા લોકો દાન અને દક્ષિણાને એક જ વસ્તુ સમજી લે છે જ્યારે શાસ્ત્રોમાં બંનેનું સ્વરૂપ અલગ બતાવવામાં આવ્યું છે. દાન એ છે જ્યારે આપણે કોઈ અસહાય, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે તેને ધન, અન્ન કે વસ્ત્ર આપીએ છીએ. તેમાં કરુણાનો ભાવ હોય છે. તો દક્ષિણા એ છે જ્યારે ઈશ્વરની આરાધના કે ધાર્મિક કર્મકાંડ કરાવનાર યોગ્ય વ્યક્તિને પૂરા આદર સાથે કંઈક ભેટ આપવામાં આવે. શાસ્ત્રો અનુસાર દક્ષિણામાં દેખાડાનું કોઈ સ્થાન નથી. તે હંમેશા સાચી શ્રદ્ધા અને પોતાની ક્ષમતા અનુસાર આપવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દક્ષિણામાં કઈ વસ્તુઓ આપવી માનવામાં આવે છે શુભ?

શાસ્ત્રો અને જ્યોતિષીય માન્યતા અનુસાર દક્ષિણામાં માત્ર રોકડા પૈસા જ નહીં, પણ બીજી અનેક વસ્તુઓ પણ ભેટ આપી શકાય છે. જેમાં પોતાની ક્ષમતા અનુસાર પૈસા આપવા ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ધનનો સીધો સંબંધ લક્ષ્મી માતા સાથે જોડવામાં આવ્યો છે. આથી દક્ષિણાની રકમ ખૂબ મોટી હોવી જરૂરી નથી. જે આપવામાં આવે તે સાચા મનથી આપવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તાંબા અને પિત્તળના વાસણનું દાન

દક્ષિણામાં તાંબા કે પિત્તળના લોટા, થાળી, કટોરી જેવી ઉપયોગી વસ્તુઓ આપવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને ધાતુઓને પવિત્ર ગણવામાં આવે છે. તાંબાનો સંબંધ સૂર્ય ગ્રહ સાથે અને પિત્તળનો સંબંધ ગુરુ ગ્રહ સાથે જોડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફળ, મિઠાઈ અને પીળા વસ્ત્રનું દાન

કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન બાદ દક્ષિણા તરીકે ફળ અને મિઠાઈ આપવી ખૂબ શુભ માનવામાં આવે છે. તે સિવાય પીળા રંગનું કપડું અને રક્ષાસૂત્ર ભેટ કરવું શાસ્ત્રોમાં ખુબ ફળદાયી બતાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

auspicious Sanatan Dharma Dakshina
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ