બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું ખરેખર માં સરસ્વતિ દરરોજ 1 વાર જીભ પર વાસ કરે છે? જાણો શાસ્ત્ર શું કહે છે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શું ખરેખર માં સરસ્વતિ દરરોજ 1 વાર જીભ પર વાસ કરે છે? જાણો શાસ્ત્ર શું કહે છે

Last Updated: 08:04 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સવારે 3:20 થી 3:40 વાગ્યા સુધી જીભ પર માં સરસ્વતીનો વાસ માનવામાં આવે છે, તેથી આ સમયે સત્ય અને શુભ વાણી બોલવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે બ્રહ્મમુહૂર્તમાં સરસ્વતી મંત્રનો જપ ખૂબ ફાયદાકારક છે.

1/6

photoStories-logo

1. સરસ્વતીનો વાસ

સનાતન ધર્મમાં ત્રિદેવીઓ – મા પાર્વતી, મા લક્ષ્મી અને માં સરસ્વતીનું અત્યંત મહત્વ છે. માં સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવસના 24 કલાકમાં અમુક એવા ક્ષણો આવે છે જ્યારે આપણી જીભ પર જ્ઞાનની દેવી સરસ્વતીનું વાસ થાય છે. તે સમયે મોંમાંથી નીકળેલી દરેક વાત સાચી નીવડે છે અને પથ્થરની લકીર બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચાણક્ય નીતિ

આ વાતને સમજાવવા માટે ચાણક્ય નીતિમાં એક મહત્વપૂર્ણ શ્લોક આપવામાં આવ્યો છે. जिह्वाग्रे वसते विद्या जिह्वाग्रे मित्रबान्धवाः। जिह्वाग्रे बन्धनं प्राप्तं जिह्वाग्रे मरणं ध्रुवम्॥ મતલબ કે આપણી વાણી જ આપણને માન-સન્માન અપાવે છે અને તે જ વાણી વિનાશનું કારણ પણ બની શકે છે. તેથી હંમેશા વિચારીને અને મીઠું બોલવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મહત્વપૂર્ણ શ્લોક

रसनाग्रस्थिता देवी सरस्वती हरिवल्लभा। तस्मात् सत्यं वदेन्नित्यं न असत्यं कदाचन॥ મતલબ કે જીભના અગ્રભાગ પર ભગવાન વિષ્ણુને પ્રિય માં સરસ્વતી વિરાજમાન છે. તેથી મનુષ્યે હંમેશા સત્ય જ બોલવું જોઈએ અને ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ક્યારે થાય છે જીભ પર દેવીનો વાસ?

શાસ્ત્રોમાં દિવસ અને રાતના પ્રત્યેક પ્રહરને શુભ અને અશુભમાં વહેંચવામાં આવ્યા છે. રાત્રે 3 વાગ્યા પછીનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે, જ્યાંથી નવી અને સકારાત્મક ઊર્જાવાળા દિવસની શરૂઆત થાય છે.માન્યતા અનુસાર સવારે 3:10 થી 3:15 વાગ્યા સુધીનો સમય અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે મનમાં લાવેલી કે મોંથી બોલેલી કોઈપણ સારી ઇચ્છા જરૂર પૂર્ણ થાય છે. ત્યારબાદ સવારે 3:20 થી 3:40 વાગ્યા સુધી જીભ પર સાક્ષાત્ મા સરસ્વતીનો વાસ માનવામાં આવે છે. આ સમયે મોંમાંથી નીકળેલો દરેક શબ્દ બ્રહ્માંડમાં જઈને સાચો થવાની શક્તિ ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપાય

જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે કે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય વરદાન સમાન છે. બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને વિદ્યાર્થીઓએ માં સરસ્વતીના મંત્ર ॐ ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः. નો જપ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર દરરોજ સવારે આ શુભ મુહૂર્તમાં આ મંત્રનો જપ કરવાથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, એકાગ્રતા વધે છે અને માનસિક વિકાસ ઝડપથી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maa Saraswati Brahmamuhurta auspiciousness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ