બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરના સપ્તેશ્વર પાસે સાબરમતી નદીમાં વિજાપુરના બે યુવકો ડૂબ્યા! પોલીસ બંદોબસ્ત માત્ર નામ પૂરતો
Last Updated: 01:39 PM, 22 August 2026
શ્રાવણ માસ દરમિયાન ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે સાબરમતી નદીમાં બે યુવકો ડૂબી જતાં મોત નીપજ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવકો વિજાપુર તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારમાં બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં હિંમતનગર, ઈડર અને વિજાપુરની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બંનેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા
શ્રાવણ માસમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટતા હોય છે. તેમ છતાં નદીના જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રતિબંધ હોવા છતાં લોકો જતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
અગાઉ પણ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની ચૂકી
સ્થાનિકોમાં ચર્ચા છે કે સાબરમતી નદીના આ વિસ્તારમાં અગાઉ પણ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં જોખમી વિસ્તારોમાં લોકોના પ્રવેશને રોકવા માટે પૂરતી દેખરેખ અને કડક વ્યવસ્થા ન હોવાના કારણે ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દશામાંની મૂર્તિઓના વિસર્જનની અવ્યવસ્થા! ડફનાડા પાસે 2500થી વધુ મૂર્તિઓ, માત્ર 2 કુંડથી ભક્તોમાં રોષ
મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી
ADVERTISEMENT
બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ અને ઘટનાની વધુ વિગતો અંગે તપાસ ચાલુ છે. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.