બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન પર ભાઈને ક્યારે ખવડાવવી મીઠાઈ, ક્યારે બનાવવા પકવાન? ગ્રહણ-સૂતક વચ્ચે જાણો સાચો સમય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / રક્ષાબંધન પર ભાઈને ક્યારે ખવડાવવી મીઠાઈ, ક્યારે બનાવવા પકવાન? ગ્રહણ-સૂતક વચ્ચે જાણો સાચો સમય

Last Updated: 04:10 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, જેથી તેનો સુતક કાળ કે ભદ્રાનો કોઈ નકારાત્મક પ્રભાવ રહેશે નહીં.

1/6

photoStories-logo

1. રક્ષાબંધન પર ભાઈને ક્યારે ખવડાવવી મીઠાઈ, ક્યારે બનાવવા પકવાન? ગ્રહણ-સૂતક વચ્ચે જાણો સાચો સમય

ભાઈ-બહેનના અતુટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પર્વ 28 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં થાય. આ કારણોસર ગ્રહણ સાથે જોડાયેલા સુતક કાળ કે અન્ય ધાર્મિક નિયમો ભારતમાં માન્ય રહેશે નહીં. જેથી બહેનો કોઈપણ વિઘ્ન વગર શુભ મુહૂર્તમાં આ તહેવાર ઉજવી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રક્ષાબંધન 2026ની તિથિ અને સમય

હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે સવારે 9:09 વાગ્યે થઈ રહી છે. જ્યારે આ તિથિનું સમાપન 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મીઠાઈ ક્યારે ખવડાવવી?

રક્ષાબંધન પર લાગનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સુતક કાળ લાગુ પડશે નહીં. તેથી સુતક કાળની ચિંતા કર્યા વિના રક્ષાબંધનની ઉજવણી કરી શકાશે. 28 ઓગસ્ટે રાખડી બાંધવા અને મીઠાઈ ખવડાવવા માટેનો શ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે 05:58 વાગ્યાથી સવારે 09:48 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન બહેનો ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધીને તેમને મીઠાઈ ખવડાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાનગીઓ ક્યારે બનાવવી?

સામાન્ય રીતે ચંદ્રગ્રહણનો સુતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી કોઈ સુતક કાળ માન્ય નથી. આથી બહેનો પોતાની સુવિધા અને પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે અથવા તેના એક દિવસ પહેલા ઘરમાં વિશેષ વાનગીઓ બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ભદ્રાનો સાયો પણ નહીં રહે

પંચાંગ મુજબ, ભદ્રા કાળ 27 ઓગસ્ટે સવારે 9:08 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 9:32 વાગ્યા સુધી રહેશે. રક્ષાબંધન 28 ઓગસ્ટે હોવાથી આ વર્ષે રક્ષાબંધનના મુખ્ય દિવસે ભદ્રાનો કોઈ સાયો કે છાયા રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને પંચાંગ પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RakhiFestival RakshaBandhan2026 ShubhMuhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ