બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:03 PM, 23 August 2026
1/5
શ્રાવણ મહિનો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં આવતા દરેક મંગળવારે 'મંગળા ગૌરી વ્રત' રાખવાની પરંપરા છે. આ વ્રત ખાસ કરીને પરિણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી દામ્પત્ય જીવન અને અખંડ સૌભાગ્યની કામના સાથે કરે છે. શ્રાવણ માસનો ચોથો મંગળા ગૌરી વ્રત 25 ઓગસ્ટે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શ્રદ્ધા અને નિયમપૂર્વક માતા ગૌરી અને શિવજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને પ્રેમ વધે છે.
2/5
3/5
મંગળા ગૌરી વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. પૂજાના સ્થાન પર માતા ગૌરી (પાર્વતી)ની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી. તેમને લાલ ચૂંદડી, ફૂલ, સુહાગની સામગ્રી (સિંદૂર, બંગડી વગેરે), ફળ અને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ દીવો પ્રગટાવી માતા ગૌરીનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લેવો.પૂજા દરમિયાન મંગળા ગૌરી વ્રત કથાનું વાચન કે શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. દિવસભર ઉપવાસ રાખ્યા બાદ સાંજે વિધિવત આરતી કરીને પ્રસાદ ગ્રહણ કરવો.
4/5
પૌરાણિક કથા અનુસાર, ધર્મપાલ નામના એક ધનવાન વેપારીનો પુત્ર અલ્પાયુ હતો અને તેને એક શ્રાપ મળ્યો હતો. પરંતુ તે વેપારીના પુત્રના લગ્ન એક એવી કન્યા સાથે થયા જેની માતા નિયમિત રીતે મંગળા ગૌરી વ્રત કરતી હતી. તે વ્રતના પુણ્ય અને પ્રભાવથી ધર્મપાલના પુત્રને દીર્ઘાયુષ્યનું વરદાન મળ્યું હતું. ત્યારથી જ દામ્પત્ય સુખ અને સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખવાની પરંપરા શરૂ થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ