બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FD છોડો, RBI ની આ સ્કીમમાં રોકાણ કરો – વધુ વ્યાજ અને ઝીરો રિસ્ક

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / FD છોડો, RBI ની આ સ્કીમમાં રોકાણ કરો – વધુ વ્યાજ અને ઝીરો રિસ્ક

Last Updated: 05:51 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

RBIની ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ સ્કીમ સરકારી ગેરંટી સાથે FDથી વધુ વ્યાજ આપે છે અને સંપૂર્ણરીતે સેફ છે. જેમાં સિનિયર સિટિઝન અને રિસ્ક ફ્રી રોકાણ ઇચ્છતા લોકો માટે આ એક સારો ઓપ્શન છે.

1/7

photoStories-logo

1. ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ સ્કીમ

જો તમે શેરબજારના જોખમથી દૂર રહીને અને ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન મેળવવા માંગતા હોવ તો RBIની ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ સ્કીમ તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. આ સ્કીમ સરકારી ગેરંટી સાથે આવે છે અને સંપૂર્ણરીતે સુરક્ષિત મનાય છે. બેંક FDની સરખામણીમાં વધુ વ્યાજ અને સરકારી બાંહેધરીને કારણે તે સિનિયર સિટિઝન અને સુરક્ષિત રોકાણ ઇચ્છતા લોકોમાં ખૂબ ફેમસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું છે ફ્લોટિંગ રેટ સેવિંગ્સ સ્કીમ?

આ ભારત સરકાર દ્વારા RBI મારફતે ઈશ્યુ કરાતી એક ખાસ સેવિંગ સ્કીમ છે. તેને ‘ફ્લોટિંગ રેટ’ કહેવામાં આવે છે કેમ કે તેમાં વ્યાજ દર નિશ્ચિત નથી રહેતો પણ માર્કેટની સ્થિતિ અનુસાર સમય-સમયે બદલાતો રહે છે અને રોકાણકારોને તેનો ફાયદો મળતો રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કોણ કરી શકે છે રોકાણ?

આ યોજનામાં માત્ર ભારતીય નાગરિક અને હિન્દુ અવિભાજિત પરિવાર જ રોકાણ કરી શકે છે. જેમાં NRI કે વિદેશીઓને તેમાં રોકાણની છૂટ નથી. તેથી આ ભારતીય રોકાણકારો માટે એક સેફ ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કેવી રીતે નક્કી થાય છે વ્યાજ દર?

આ બોન્ડ્સનો વ્યાજ દર NSCના વ્યાજ દર સાથે સીધો જોડાયેલો છે. જેમાં હંમેશા NSCનો દર + 0.35% વ્યાજ મળે છે. જેમાં સરકાર દર 6 મહિને એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈમાં વ્યાજ દરની સમીક્ષા કરે છે અને નવો દર લાગુ કરે છે. વ્યાજ દર 6 મહિને સીધા રોકાણકારના બેંક ખાતામાં જમા થાય છે. જોકે રી-ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. લોક-ઇન પીરિયડ અને પ્રીમેચ્યોર વિથડ્રોલ

સામાન્ય રીતે આ બોન્ડની મેચ્યોરિટી 7 વર્ષની હોય છે. સિનિયર સિટિઝન માટે છૂટ છે. જેમાં 60થી 70 વર્ષની ઉંમરવાળા 6 વર્ષ બાદ પૈસા કાઢી શકે છે. 70થી 80 વર્ષની ઉંમરવાળા 5 વર્ષ પછી પૈસા કાઢી શકે છે. અની 80 વર્ષથી વધુ ઉંમરવાળા 4 વર્ષ બાદ પૈસા કાઢી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેટલું રોકાણ કરી શકાય?

આમાં મીનીમમ 1,000 રૂપિયાથી શરૂઆત કરી શકાય છે અને મેક્સીમમ લીમીટ કોઈ નથી. જેમાં તમે જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ટેક્સના નિયમો

આ બોન્ડમાંથી મળતી આવક પર ટેક્સ લાગુ પડે છે. જેમાં વ્યાજની આવકને તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. જો એક નાણાકીય વર્ષમાં કુલ વ્યાજ 10,000 રૂપિયા અને સિનિયર સિટિઝન માટે 50,000 રૂપિયાથી વધુ હોય તો બેંક TDS કાપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Floating Rate Savings Bonds scheme government guarantee RBI scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ