બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:23 PM, 23 August 2026
1/5
કાલે શ્રાવણનો બીજો સોમવાર છે. શ્રાવણનો મહિનો આવતાની સાથે જ આખું વાતાવરણ શિવમય બની ગયું છે. સામાન્ય લોકો પણ ભગવાન શિવની ભક્તિમાં લીન છે. ભગવાન શિવને રીઝવીને સારા ફળ મેળવવા માટે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જલાભિષેક અને રુદ્રાભિષેક કરી રહ્યા છે. ઘરોમાં પણ રુદ્રાભિષેક કરાવવામાં આવી રહ્યા છે.
2/5
શિવ સ્તુતિ માટે શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે. ગંગા અને સંગમના પવિત્ર જળમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ શિવાલયો તથા ઘરોમાં રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જપ જેવા અનુષ્ઠાન કરાવે છે. સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો લાગી જશે. દરેક શિવાલયમાં જલાભિષેક અને રુદ્રાભિષેક કરનારાઓની ભીડ જામશે. આખો દિવસ જલાભિષેક બાદ સાંજે શિવલિંગનું શૃંગાર કરવામાં આવશે. સોમવારની સવારે સ્નાન કરીને ભક્તો શિવાલયોમાં જલાભિષેક કરશે.
3/5
સોમવારના વ્રતમાં કાચું દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડથી પંચામૃત અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર બેલપત્ર, ધતૂરો, આકડોનું ફૂલ, ભાંગ, સફેદ ચંદન, સફેદ ફૂલ, અક્ષત, જનોઈ, મોસમી ફળ અને મીઠાઈ અર્પણ કરવી જોઈએ. બેલપત્ર કપાયેલું કે ફાટેલું ન હોવું જોઈએ. શિવ ચાલીસાનો પાઠ કરવો પુણ્યકારી માનવામાં આવે છે. વ્રતી વ્યક્તિએ કાંદા-લસણનું સેવન ટાળવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.
4/5
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ