બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક દર્દીનું મો*ત! હાર્દિકભાઈ કિલજીના મો*ત સાથે મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
Last Updated: 10:54 AM, 22 August 2026
ભાવનગરમાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા કાંડમાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચી ગયો છે. સર.ટી. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ICUમાં સારવાર લઈ રહેલા હાર્દિક કિલજી નામના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
ADVERTISEMENT

છેલ્લા ત્રણ દિવસથી ICUમાં સારવાર ચાલી રહી
ADVERTISEMENT
નકલી દારૂના સેવન બાદ તબિયત લથડતા હાર્દિક કિલજી સહિતના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાથી છેલ્લા ત્રણ દિવસથી ICUમાં સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ ઘટનામાં કુલ મૃતકોની સંખ્યા 9 થઈ છે.

ADVERTISEMENT
હોસ્પિટલમાં કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ
હાલ સર.ટી. હોસ્પિટલમાં કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 3 દર્દીઓની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, અત્યાર સુધીમાં 17 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મેંદરડામાં ગાયે સિંહને હંફાવ્યો, શિકાર કર્યા વગર જ ભાગ્યો ‘જંગલનો રાજા’
નકલી દારૂના સેવનના કારણે તબિયત લથડી
ADVERTISEMENT
નકલી દારૂના સેવનને કારણે આ દર્દીઓની તબિયત અચાનક લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.