ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:25 AM, 24 August 2026
નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થવાને કારણે 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગભગ 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 4 થી 5 લોકોને ICUમાં રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, સોમવારે નાગપુરના ગોધની વિસ્તારમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. ગોધની નગર પંચાયત દ્વારા સંચાલિત આ પ્લાન્ટમાં ગેસ લીક થયા બાદ લગભગ 40 લોકોએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. અસરગ્રસ્ત લોકોમાં પ્લાન્ટના 8 થી 10 કર્મચારીઓ અને નજીકમાં રહેતા 20 થી 25 સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે.
#WATCH | Nagpur, Maharashtra: Rescue operations are underway after a chlorine gas leak was reported at a water purification plant belonging to the Maharashtra Jeevan Pradhikaran in the Godhni area pic.twitter.com/1QArLOZden
— ANI (@ANI) August 24, 2026
ADVERTISEMENT
ગેસ લીક થયા બાદ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી ચારથી પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન, અન્ય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ગેસના ફેલાવાને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે, નજીકના વિસ્તારના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હાલમાં, વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો ગેસ લીક થવાનું કારણ જાણવા માટે કામ કરી રહ્યા છે. આ લીકને કારણે નજીકના અન્ય વિસ્તારોના લોકોને કોઈ જોખમ ન રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ખાંડ પછી હવે ડુંગળીના ભાવમાં ઉછાળો, કિલોએ રૂ. 42 પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ADVERTISEMENT
અમરાવતીમાં પણ બની દુર્ઘટના
નાગપુરમાં ગેસ લીક થવાની ઘટના પહેલાં, આજે વહેલી સવારે અમરાવતી જિલ્લા હોસ્પિટલના બાળરોગ વિભાગમાં લાગેલી આગમાં ત્રણ નવજાત શિશુઓના મોત થયા હતા.
ADVERTISEMENT
#WATCH | Amravati, Maharashtra: Three newborn babies lost their lives after a fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) of the District Women’s Hospital. According to preliminary information, the fire erupted at around 3.30 am on the third floor of the hospital,… pic.twitter.com/fhSQvykujw
— ANI (@ANI) August 24, 2026
અહેવાલો અનુસાર, વેન્ટિલેટરમાં થયેલા વિસ્ફોટને કારણે આ આગ લાગી હતી. આગ ઝડપથી સમગ્ર વોર્ડમાં ફેલાઈ ગઈ અને ત્યાં દાખલ કરાયેલા નવજાત શિશુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.