બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભંગારની ચીજને કારણે વિસ્ફોટ, એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી, નખત્રાણા બ્લાસ્ટમાં મોટું અપડેટ
Last Updated: 09:54 PM, 23 August 2026
નખત્રાણાના કોટડાના ભંગારવાડામાં 22 ઓગસ્ટે થયેલા ભીષણ બ્લાસ્ટ પાછળનું કારણ સામે આવ્યું છે. છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વખતે બ્લાસ્ટ થયો એટલે ગંભારમાં જ કોઈ વિસ્ફોટક વસ્તુ આવી હોઈ શકે છે આ બ્લાસ્ટમાં 2 સગાઓ ભાઈઓ અને 2 માસૂમના મોત થયા હતા.
ADVERTISEMENT
છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વખતે બ્લાસ્ટ
પરિવાર છોટા હાથીમાં આજુબાજુના ગામડાઓમાં ફરીને ભંગારનો ભેગો કરે છે. ગાડીમાં આસપાસના ગામડાઓમાંથી ભંગાર એકઠો કરી ફેરી કરવાનો ધંધો કરતો હતો. બનાવના દિવસે તેઓ ભંગાર ભરીને પોતાના વાડે પરત આવ્યા હતા. બંને ભાઈઓ ગાડીમાંથી ભંગાર ખાલી કરતાં હતાં અને બે નાના બાળકો નજીક ઊભેલા હતા. ત્યારે અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.પ્રચંડ વિસ્ફોટને કારણે ચારેય ઝપેટમાં આવી ગયા હતા અને તેમના મોત થયા હતા.
ADVERTISEMENT
એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી
ભંગારના ખુલ્લા વાડામાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે,એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી હતી.આ ઉપરાંત ગાડીમાં રાખેલા ભંગારના ટુકડા દૂર આવેલા બાથરૂમ પર પડતા તેના પતરા પણ તુટી ગયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો' ધાનેરામાં પરિણીતા સાથે લવ જેહાદ, ધર્મ પરિવર્તનનું દબાણ
વાહનના પાછળના ભાગના ઉડ્યાં ફુરચા
ADVERTISEMENT
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનના પાછળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.