બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવામાનનો બેવડો માર, અલ નિનોની અસરથી ચોમાસું ખોરવાયું, ખેડૂતોની ચિંતા વધી

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / હવામાનનો બેવડો માર, અલ નિનોની અસરથી ચોમાસું ખોરવાયું, ખેડૂતોની ચિંતા વધી

Last Updated: 10:12 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નબળું અને અસ્તવ્યસ્ત બની રહ્યું છે. IMDના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના પ્રારંભિક સપ્તાહોમાં પણ દેશભરમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાશે.

1/5

photoStories-logo

1. હવામાનનો બેવડો માર, અલ નિનોની અસરથી ચોમાસું ખોરવાયું, ખેડૂતોની ચિંતા વધી

ઓગસ્ટ 2026ના અંત સુધીમાં ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નબળું અને અત્યંત અસ્તવ્યસ્ત પેટર્ન દર્શાવી રહ્યું છે. ચોમાસા દરમિયાન વારંવાર આવતા 'ઈન્ટ્રાપિરિયડ બ્રેક'ના કારણે પશ્ચિમ ભારત સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અટકી ગયો છે. સૌથી મોટી આશા 'ઇન્ડિયન ઓશન ડિપોલ' (IOD) પોઝિટિવ થવાની હતી, પરંતુ તે હજુ પણ ન્યુટ્રલ સ્ટેજમાં જ છે, જેના કારણે ચોમાસાને જરૂરી ટેકો મળી રહ્યો નથી. હવામાન વિભાગ (IMD) અનુસાર સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની પૂરી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વરસાદમાં 14% સુધીનો ઘટાડો

હાલ સુધીમાં દેશભરમાં સરેરાશ 14% ઓછો વરસાદ નોંધાયો છે અને આ ખોટ વધુ વધવાની આશંકા છે. મોનસૂન ટ્રફ હિમાલયના તળેટીના વિસ્તારોમાં અટવાઈ ગઈ છે, જે મધ્ય કે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહી નથી. પરિણામે મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, જ્યારે પૂર્વ-ઉત્તરપૂર્વ અને હિમાલયન વિસ્તારોમાં પ્રમાણમાં સારો વરસાદ પડી રહ્યો છે. Skymet એ ચોમાસાનો અંદાજ ઘટાડીને LPAના 85% કરી દીધો છે અને દુષ્કાળની શક્યતા 70% દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વરસાદની અછત નોંધાઈ

પ્રાદેશિક દ્રષ્ટિએ જોઈએ તો, પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં 26%, દક્ષિણ દ્વીપકલ્પમાં 23%, ઉત્તર-પશ્ચિમમાં 11% અને મધ્ય ભારતમાં 3% વરસાદની અછત નોંધાઈ છે. આ સ્થિતિના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં પૂર તો અન્ય વિસ્તારોમાં સૂકા જેવી વિરોધાભાસી સ્થિતિ સર્જાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અલ-નિનો અને IODની ભૂમિકા

ચોમાસું નબળું પડવા પાછળનું મુખ્ય કારણ 'અલ-નિનો' (El Nino)નું સક્રિય થવું છે. યુકે મેટ ઓફિસના જણાવ્યા અનુસાર, આ સદીના સૌથી શક્તિશાળી એલ-નિનોમાંથી એક બની શકે છે, જેના કારણે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. IOD જો સમયસર પોઝિટિવ બન્યું હોત તો આંશિક રાહત મળી શકી હોત, પરંતુ તેની ન્યુટ્રલ સ્થિતિને કારણે મદદ મર્યાદિત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ખરીફ પાક અને મોંઘવારી પર અસર

ચોમાસાના આ બેતરતીબ વિતરણથી તુવેર, સોયાબીન અને મકાઈ જેવા વરસાદ પર નિર્ભર ખરીફ પાકો પર ગંભીર ખતરો ઊભો થયો છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં અનિયમિત વરસાદથી ઉત્પાદન ઘટવાની અને ખાદ્ય ફુગાવો (ફૂડ ઈન્ફ્લેશન) વધવાની ચિંતા વધી છે. નિષ્ણાતોના મતે સરકારે યોગ્ય પાક નિરીક્ષણ, પાણી વ્યવસ્થાપન અને વૈકલ્પિક સિંચાઈ યોજનાઓ પર તાત્કાલિક ધ્યાન આપવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon2026 IMD ElNino
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ