ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:54 PM, 24 August 2026
કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ઘઉંના લોટ તથા તેની સાથે જોડાયેલા બીજા ઉત્પાદનોની નિકાસ પર લાગેલી પ્રતિબંધને તાત્કાલિક અસરથી હટાવી દીધો છે. હવે ભારતમાંથી ઘઉંનો લોટ, મૈદા, સોજી, ઘઉંના લોટ અને બીજા સંબંધિત પ્રોડક્ટ્સને વિદેશ મોકલવાની મંજૂરી મળી ગઈ છે.
ADVERTISEMENT
જેમાં કેન્દ્ર સરકારે સોમવારે સરકારે નિકાસ નીતિમાં ફેરફાર કરીને અગાઉનો પ્રતિબંધ પૂરેપૂરો રદ કર્યો છે. આમ પરિણામે આ ઉત્પાદનોનું નિકાસ હવે સામાન્ય રીતે થઈ શકશે.
This is a massive development in Indian #Wheat.
— Agrinfo (@Agrinfo101) August 24, 2026
Wheat is now free to export. No TRQ, nothing. Simple export.
Wheat Products are also free to export now.
This one news itself is good enough to support Indian wheat prices.
If global prices stay in support, wheat in India stay… pic.twitter.com/DeiQSFvULb
ADVERTISEMENT
ભારતે 12 જુલાઈ 2022ના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે વખતે સ્થાનિક બજારમાં ઘઉં અને લોટના ભાવ સતત વધી રહ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરમાં ઘઉંના ભાવમાં આશરે 40 ટકા સુધીનો વધારો થયો હતો અને ભારતમાંથી પણ મોટા પ્રમાણમાં ઘઉં વિદેશ જઈ રહ્યા હતા.
આ યુદ્ધને કારણે બ્લેક સી વિસ્તારમાં ઘઉંની સપ્લાય અને પરિવહન પર પણ મોટી અસર પડી હતી. આ વિસ્તાર વિશ્વના ઘઉંના કારોબારના લગભગ એક ચોથા ભાગ સાથે જોડાયેલો છે. તે સમયે ભારતે વૈશ્વિક બજારમાં ઘઉંની અછત પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
બાદમાં સરકારે ઘઉંના એક્સપોર્ટમાં થોડી છૂટ આપી હતી અને આ વર્ષે તેની વાર્ષિક મર્યાદા 50 લાખ ટન નક્કી કરવામાં આવી હતી. હવે નવા નિર્ણય બાદ ઘઉંના લોટ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનો પરની પાબંદી સંપૂર્ણરીતે હટી ગઈ છે. 2022 બાદ પહેલી વાર આ ઉત્પાદનોના એક્સપોર્ટને પૂરેપૂરી મુક્ત કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.