ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો વ્યક્તિ નેપાળમાં ગુમ, કૈલાશ યાત્રાએ ગયા બાદ સંપર્ક તૂટ્યો, ત્રણ મિત્રો સાથે ફરવા ગયા હતા
Last Updated: 04:06 PM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળમાં આવેલા મહાપૂરમાં અનેક ભારતીયો સહિત ગજરાતીઓ પણ ગુમ થયાં છે જેમની જાણકારી હવે સામે આવી રહી છે આમાંના એક અમદાવાદના વ્યક્તિ પણ છે. મુળ વડનગરના રહેવાસી ભાવિન રાવલ તેમના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા અને ત્યાં પૂર આવતાં તેઓ ફસાયા હતા ત્યાર બાદ પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ADVERTISEMENT
પત્નીએ ગઈ કાલે કરી હતી વાત
ઉલ્લેખનીય છે કે પત્ની આરતી રાવલે તેમના પતિ ભાવિન રાવલ સાથે ગઈ કાલે વાત કરી હતી. પરંતુ બુધવારના પૂર બાદ તેમનો સંપર્ક કપાઈ ગયો હતો. ભાવીનના ભાઈ ધવલે સરકારને જાણ કરી હતી.
ADVERTISEMENT
નેપાળમાં આવેલા પૂરમાં ગુજરાતના 12 લોકો ગુમ
નેપાળમાં અમદાવાદ અને સુરતના સૌથી વધુ 3-3 લોકો ફસાયા છે જ્યારે આણંદના 2, વલસાડ અને રાજકોટના 1-1 યુવક ફસાયા છે. મોટાભાગના પ્રવાસીઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં આવેલા પૂરમાં ગુજરાતના 12 લોકો ગુમ થયા છે. આ ગુમ થયેલા લોકોમાંથી મોટાભાગના કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ધારીના ગામની સીમમાં અજગર આખું હરણ ગળી ગયો, પચાવાનું ભારે પડતાં બહાર કાઢ્યું
ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
ADVERTISEMENT
નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતીયોને પરત લાવવા માટે એમ્બેસી કાર્યરત છે.
આણંદનું દંપતી પણ ગુમ
ADVERTISEMENT
નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો