ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''ગમે તેટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ન રોકી શકે...'', લોક દરબારમાં અમિત શાહનું નિવેદન
Last Updated: 10:48 PM, 27 August 2026
ADVERTISEMENT
Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. અમિત શાહે બોપલ ઘુમાના નાગરિકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓ સ્થાનિક નાગરિકો, સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, 'ગમે તેટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ન રોકી શકે...ભગવાન જ રોકી શકે ''.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમિત શાહે કહ્યુ હતું કે, જોધપુર બોપલ બે વોર્ડના રહીશો અને સોસાયટીના ચેરમેનોને મળવા આવ્યો છું. લોક દરબાર માટે આવ્યો ત્યારે ઘાટલોડિયા બાજુ રાખવા કહેવાયું. બોપલ અને આંબલીમાં પાણી ભરાયું એટલે રખાયું અને એટલે જ હું આવ્યો છું.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, 50 વર્ષમાં જ્યારે 21 ઇંચ વરસાદ નથી થયો, એએમસીના આયોજન નાના પડી ગયા. એકજ વાત કહીશ કે બીજી વાર મત લેવા આવીશ એ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન ભરાય તેવું આયોજન કરીશ. ત્યારે 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટી કોરી રહે તેવી વ્યવસ્થા કરીશું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રક્ષાબંધન / રક્ષાબંધનની અનોખી ઉજવણી, બહેનો ભાઈઓને નહીં વીરોના પાળિયાને બાંધે છે રાખડી, જાણીને આંખો ભીંજાઈ જશે
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું પાણી નિકાલ માટે જવાબદારી મેયર કે એએમસી કમિશનર નહિ પણ સંસદ સભ્યની છે જે હું લઉ છું અને નિકાલ લાવીશ. ઘણા બધા સુવિધાના કામો કહ્યા છે તે કરીશું. નર્મદાના પાણી માટે વાત કરી. આંબલી બોપલ શેલા નવી વસાહત છે જાસપૂરથી વ્યવસ્થા કરી 6 મહિનામાં પાણી મળશે. ગટરની વ્યવસ્થા પણ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો