ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સ પહેલાં અમદાવાદમાં મોટો કાયાપલટ, નવા રોડ-ફ્લાયઓવર બનશે
Last Updated: 03:01 PM, 25 August 2026
ADVERTISEMENT
શહેરમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત કોટેશ્વર-હાંસોલ રિવર બ્રિજ બનાવવાની યોજના છે, જે એરપોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વચ્ચે સીધી કનેક્ટિવિટી આપશે.
ADVERTISEMENT

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે માર્ગો પહોળા કરવા અને નવા રોડ નેટવર્ક વિકસાવવા પર ભાર મુકાઈ રહ્યો છે. એએમસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કોમનવેલ્થ ગેમ્સ પહેલાં સ્ટેડિયમ સુધી સરળ પહોંચવા માટે વિવિધ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
કોટેશ્વર અને હાંસોલ વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળ બે ૩૦ મીટર પહોળા રસ્તા વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારને જોડતો બેરેજ-કમ-બ્રિજ પણ અચેર સ્મશાનગૃહ નજીક નિર્માણાધીન છે. એએમસી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાછળ ફૂટઓવર બ્રિજ બનાવવાની પણ યોજના છે તેમજ સ્ટેડિયમ નજીક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે જમીનના પ્લોટ અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
એએમસીએ ૨૦૨૩-૨૪ના બજેટમાં વિસત જંક્શન નજીક બીઆરટીએસ કોરિડોર સાથે જોડાયેલા સ્પ્લિટ ફ્લાયઓવર માટે મંજૂરી આપી હતી. સાબરમતી અને ચાંદખેડાને જોડતો આ ફ્લાયઓવર પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાણીપ બકરામંડીથી સાબરમતી જવાહરચોક સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની સંભાવના પર પણ અભ્યાસ ચાલી રહ્યો છે. આ માર્ગ રાણીપથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કાંકરિયા લેકફ્રન્ટનો ફરી કાયાપલટ, છ સ્થળોએ 9,675 ચો.મી. વિસ્તારમાં નવા મનોરંજન ઝોન
AMCએ બે એલિવેટેડ કોરિડોર માટે આશરે રૂ. ૧,૦૦૦ કરોડની ફાળવણી કરી છે, જેમાં નહેરુનગર સર્કલથી શિવરંજની ક્રોસ રોડ અને રામદેવનગર જંક્શનથી ઈસ્કોન બ્રિજ સુધીનો આશરે ત્રણ કિમી માર્ગ તથા બોપલ વકીલ સાહેબ બ્રિજથી ઘુમા ગામ સુધીનો આશરે ૩.૫ કિમી માર્ગ સામેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો