ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:44 PM, 25 August 2026
ADVERTISEMENT
અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા લેકફ્રન્ટને બદલાતા સમય પ્રમાણે વધુ આકર્ષક અને મનોરંજક બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોના વિકાસ અને પુનઃવિકાસની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૮માં લેકફ્રન્ટના પ્રથમ તબક્કાના વિકાસ બાદ હવે અહીં ઉપલબ્ધ મનોરંજનની સાથે નવા પ્રકારની પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવશે. કુલ છ અલગ અલગ સ્થળોએ અંદાજે ૯,૬૭૫ ચોરસ મીટર વિસ્તારમાં નવા મનોરંજન ઝોન વિકસાવવાનું આયોજન છે.
ADVERTISEMENT

હાલ કાંકરિયા લેકફ્રન્ટમાં ૨.૨ કિલોમીટરના પેડેસ્ટ્રિયન વોક-વે ઉપરાંત ઝૂ, બાલવાટિકા, કિડ્સ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને ટોય ટ્રેન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની સાથે એવી નવી પ્રવૃત્તિઓ ઊભી કરાશે કે જેનાથી બાળકો, પરિવાર અને બહારથી આવતા પ્રવાસીઓ માટે લેકફ્રન્ટમાં મનોરંજનના વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય.
ADVERTISEMENT
કાંકરિયા લેકફ્રન્ટના આ પુનઃવિકાસથી હાલની પરંપરાગત સુવિધાઓની સાથે નવા મનોરંજન વિકલ્પો ઉમેરાશે. ખાસ કરીને ૭,૦૦૦ ચો.મી.ના ઓપન એર થિયેટર વિસ્તારનો વિકાસ લેકફ્રન્ટના મનોરંજન અને સાંસ્કૃતિક ઉપયોગને નવી દિશા આપી શકે છે. છ સ્થળોએ અલગ પ્રકારની પ્રવૃત્તિ. કાંકરિયા લેકફ્રન્ટમાં ઝૂ ટિકિટબારી-૧ એટલે કે ગેટ નં. ૩ નજીક આશરે ૨૭૦ ચો.મી. વિસ્તારમાં પ્રાણીઓને ખલેલ ન પહોંચે તેવી શાંત પ્રકારની મનોરંજક પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે. ગેટ નં. ૪ અને દેડકી ગાર્ડન નજીક ૨૫૦ ચો.મી. વિસ્તારમાં નવીન રાઈડ્સ અને એક્ટિવિટી માટે વ્યવસ્થા કરાશે.
ADVERTISEMENT
ગેટ નં. ૬ અને આમ્રપાલી ફન લેન્ડ નજીકની ૧૨૫ ચો.મી. જગ્યામાં હાલની ફનલેન્ડ પ્રવૃત્તિથી અલગ નવી મનોરંજન સુવિધા ઊભી કરાશે. જ્યારે કિડ્સ સિટી નજીક અને પિકનિક હાઉસની પાછળના ૮૩૦ ચો.મી. વિસ્તારમાં બાળકો તથા પરિવાર માટે સલામત મનોરંજન ઝોન વિકસાવવામાં આવશે. ગેટ નં. ૨ નજીક ફૂટબોલ ગ્રાઉન્ડ અને વન ટ્રી હિલ ગાર્ડન પાસે આશરે ૧,૨૦૦ ચો.મી. વિસ્તારમાં કુદરતી વાતાવરણને જાળવી રાખીને ઓપન રિક્રિએશનલ એક્ટિવિટી શરૂ કરાશે. આ ઉપરાંત સાંઈ ઝુલેલાલ ઓપન એર થિયેટર ખાતે સૌથી મોટા ૭,૦૦૦ ચો.મી. વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન અને વિવિધ આધુનિક પ્રવૃત્તિઓ માટે વિશાળ સુવિધા વિકસાવવાનું આયોજન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વિકાસ કામગીરી જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ના માળખા હેઠળ હાથ ધરવાની છે એટલે કે નવી મનોરંજન સુવિધાઓ ઊભી કરવા માટેનું મૂડીરોકાણ મુખ્યત્વે ખાનગી ભાગીદારો દ્વારા કરવામાં આવશે. તેના બદલામાં એએમસીને આવકના હિસ્સા મારફતે રેવન્યૂ પ્રાપ્ત થવાની વ્યવસ્થા રહેશે, જોકે ખાનગી રોકાણથી વિવિધ સ્થળોએ નવી સુવિધાઓ ઊભી થવાથી એએમસી પર સીધો મૂડી ખર્ચનો બોજ ઓછો રહેવાની શક્યતા છે અને ભવિષ્યમાં આવકનું નવું સાધન પણ ઊભું થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો