બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલા જ એક દીકરો ખોઇ ચૂકેલ, પુણેમાં પહાડ પરથી કૂદનાર પરિવારમાં નવો એંગલ

નેશનલ / પહેલા જ એક દીકરો ખોઇ ચૂકેલ, પુણેમાં પહાડ પરથી કૂદનાર પરિવારમાં નવો એંગલ

Published By: Bijal Vyas

Last Updated: 01:18 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુણેમાં પહાડો પરથી કૂદીને જીવ આપનાર પરિવારમાં વિવાદનું એક નવુ એંગલ સામે આવ્યુ છે. કુનાલની માતા સંગીતા વીડિયો બનાવી રહી હતી અને તેણે વૈવાહિક જીવનમાં ત્રીજાના દખલગીરીની વાત કહી હતી...

આઇફોનની ઇએમઆઇના વિવાદમાં મહારાષ્ટ્રના સંભાજી નગરમાં પહાડ પરથી પડતુ મૂકતા પરિવાર ખતમ થઇ ગયો. આ ઘટનાનો વીડિયો જેણે પણ જોયો છે તે રુવાડા ઉભા થઇ ગયા છે. એક વીડિયોમાં જોવા મળ્યું છે કે, કુનાલ ચાંદગુડેની માતા માથુ જમીન પર રાખીને પ્રાર્થના કરી રહી છે કે તે ખીણ પાસેથી હટી જાય પરંચુ તે કોઇની વાત સાંભળવા તૈયાર ના હતો. અંતમાં પિતાએ હિમ્મત કરીને એક ઝાટકામાં તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ બન્યુ કંઇક અલગ જ. બાપ-દીકરો બંનેન પહાડ પરથી ખીણમાં પડી ગયા પછી કુનાલની માતા સંગીતાએ પણ છલાંગ લગાવી અને જોત-જોતામાં પરિવાર ખતમ થઇ ગયો.

વિવાદમાં નવો એંગલ આવ્યો સામે

રિપોર્ટ અનુસાર, સંગીતા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવે છે. તેના એક વીડિયોમાં તેના પરિવારિક વિવાદની પણ વાત છે. તેણે કહ્યું કે, તેમની બંને વચ્ચે ત્રીજી મહિલાની દખલગીરીના કારણે પરિવારમાં વિવાદ પેદા થયો હતો. તે પોતાના પતિ મુરલીધર ચાંદગુડે અને મહિલાથી વિવાહેતર સંબંધોની વાત કરી હતી. તે કારણથી પરિવારમાં તણાવ વધવા લાગ્યો હતો. તેણે આ વાત વીડિયોમાં કરી હતી. જો કે એ વિવાદને હાલની ઘટના સાથે કોઇ લેવાદેવા છે કે નહીં તે હજી સ્પષ્ટ થયુ નથી.

એક દીકરાની મોતથી પરેશાન હતી

સંગીતાએ પછી એ પણ કહ્યું કે, અમુક લોકો તેના પતિને પરેશાન કરી રહ્યા છે. તેને વૈવાહિક જીવનની તકલીફો વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેણે કહ્યું કે, 8 વર્ષ પહેલા એક દીકરાની મોત થઇ ગઇ છે. ત્યાર બાદ આખો પરિવાર આઘાતમાં હતો. આ ઘટના બાદ પરિવારમાં તણાવ ઓછો થયો નથી. દર બે દિવસે આ વાતને લઇ ઘરમાં વિવાદ થયા કરતો હતો.

આ પણ વાંચોઃ હવેથી એરપોર્ટ પર નહીં જોવા મળે લાંબી લાઇનો, 1 સપ્ટેમ્બરથી મળશે આ ઝંઝટથી છૂટકારો

શું છે મામલો?

છત્રપતિ સંભાજીનગરના તીસગાંવ વિસ્તારમાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 19 વર્ષીય કુણાલ ચાંડગુડેને પોતાના માતા-પિતા સાથે iPhone ખરીદવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ કુણાલ ખૂબ જ પરેશાન થઈને ટેકરીઓ તરફ ચાલ્યો ગયો હતો. કુણાલ ટેકરી પર પહોંચી ગયો હોવાની જાણ થતાં તેના પિતા 48 વર્ષીય મુરલીધર ચાંડગુડે અને માતા સંગીતા ચાંડગુડે પણ તેને શાંત પાડવા માટે ત્યાં દોડી ગયા હતા. જોકે, ત્યારબાદ જે બન્યું તેમાં પરિવારના ત્રણેય સભ્યોના મોત થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pune family jumps from hill new angle od dispute one son died before

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ