ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મોહન ભાગવતે કહ્યું- ‘ભારતના DNAમાં એકતા અને વિવિધતા’, ભારતીય સમુદાયને આપ્યો ખાસ સંદેશ

Mohan Bhagwat / ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મોહન ભાગવતે કહ્યું- ‘ભારતના DNAમાં એકતા અને વિવિધતા’, ભારતીય સમુદાયને આપ્યો ખાસ સંદેશ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:05 AM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohan Bhagwat: આરએસએસના પ્રમુખએ કહ્યું કે ભારતનું કાર્ય વિશ્વને વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવવાનું છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે વિદેશમાં રહેતા ભારતીયો ભારતે તેમને શીખવેલા મૂલ્યોનું પાલન કરશે.

ADVERTISEMENT

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ત્યાં ભારતીય પ્રવાસિઓને સંબોધિત કર્યા. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છે. આરએસએસ વડાએ કહ્યું કે દરેક દેશની એક ખાસ ફરજ છે. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકાની ચર્ચા થાય છે, ત્યારે વાતચીતમાં બહુલતાવાદ શબ્દ વારંવાર આવે છે. જોકે જ્યારે ભારતની ચર્ચા થાય છે, ત્યારે સૌથી વધુ ચર્ચાતો વિષય વિવિધતામાં એકતા છે.

મોહન ભાગવતે કહ્યું કે ભારતના લોકો માટે આ એકતા અને વિવિધતા તેમના DNA માં મૂળમાં વસેલી છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક દેશની એક ખાસ ફરજ છે. જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, દરેક દેશનું પોતાનું એક અનોખું ભાગ્ય હોય છે, જે તેણે પૂર્ણ કરવું જોઈએ.

વિવિધતાની ઉજવણી કરવી જોઈએ: ભાગવત

આરએસએસ વડાએ કહ્યું કે ભારતની નિયતિ વિશ્વને એ અહેસાસ કરાવવાનું છે કે વિવિધતામાં એકતા છે. તેમણે કહ્યું, "ભારતની નિયતિ શું છે? ભારતનું કામ આને સમજવાનું છે અને સમય સમય પર વિશ્વને વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવવાનું છે. આપણે એક છીએ, અને વિવિધતા જ તે એકતાને વધારે છે. તેથી વિવિધતાની ઉજવણી કરવી જોઈએ."

"કોઈ નર કરની કરે તો નર નો નારાયણ બની જાય"

યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે મનુષ્યોમાં વિચારવાની ક્ષમતા હોય છે, અને આ તેમની વિશેષતા બની જાય છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ કઈ દિશામાં વિચારે છે. તેમણે કહ્યું કે જો તમે યોગ્ય રીતે વિચારો છો તો તમે ભગવાનની નજીક જાઓ છો, અને જો તમે ખોટું વિચારો છો, તો તમે પશુતાની નજીક જાઓ છો.

આ પણ વાંચોઃ Nepal Floods / ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, રસુવા-નુવાકોટ-ધાદિંગમાં એલર્ટ; 675 મોત, 2,400થી વધુ લોકો લાપતા

તેમણે કહ્યું કે સમાજમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. એક પ્રકૃત્તિ જીઓ અને જીવવા દો, અને બીજું છે જ્યાં વ્યક્તિ ફક્ત તેમને જ જીવવા દેવા માંગે છે જેઓ તેની વાત માને છે. ભાગવતે કહ્યું કે જેઓ ફક્ત તેમની શરતો સ્વીકારે છે તેમને જ સંરક્ષણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DNA New York Mohan Bhagwat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ