ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નીમ કરોલી બાબાએ બતાવ્યા સારા દિવસ આવવાના 5 સંકેત, જાણો શું થાય છે?

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / નીમ કરોલી બાબાએ બતાવ્યા સારા દિવસ આવવાના 5 સંકેત, જાણો શું થાય છે?

Last Updated: 09:16 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નીમ કરોલી બાબાએ સારા દિવસો આવવાના પાંચ શુભ સંકેતો કહ્યા છે. જેમાં સ્વપ્નમાં પિતૃ-ઈષ્ટનું દર્શન, પશુ-પક્ષીનું આગમન, પૂજામાં આંસુ, સંતોના દર્શન અને અંતર્મનની આવાજ. આ સંકેતો જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત સૂચવે છે. ચાલો તેના વિષે વિસ્તારથી જાણીએ.

1/7

photoStories-logo

1. નીમ કરોલી બાબા

કૈંચી ધામના નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ખૂબ ચર્ચામાં છે અને તેને બોલિવુડની અનેક મોટી હિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. બાબા હનુમાનજીના ખુબ મોટા ભક્ત હતા અને અનેક અનુયાયીઓ તેમને હનુમાનજીનો અવતાર માનતા. આજે પણ તેમની વાણી લોકોને માર્ગદર્શન આપે છે. બાબાએ એક વખત કહ્યું હતું કે અમુક વસ્તુઓનું અચાનક દેખાવું ખૂબ શુભ હોય છે અને તે જીવનમાં સારા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સ્વપ્નમાં ઈષ્ટદેવ કે પિતૃના દર્શન

નીમ કરોલી બાબા અનુસાર સ્વપ્નમાં પિતૃ કે ઈષ્ટદેવના દર્શન થવા એ ખુબ દુર્લભ અને મંગલ સંકેત છે. જો પિતૃ હસતા, આશીર્વાદ આપતા કે પ્રસન્ન ભાવે દેખાય તો તે જીવનમાં સકારાત્મક ફેરફારની શરૂઆત માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે કોઈ મોટું કાર્ય પૂર્ણ થવાની તૈયારી હોય ત્યારે પિતૃ સ્વપ્નમાં આવીને તેની જાણ કરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ઘરમાં પશુ-પક્ષીનું આગમન

સંકટના સમયમાં અચાનક પશુ કે પક્ષીઓનું ઘરની નજીક આવવું પણ શુભ ગણાય છે. ખાસ કરીને ચકલી કે કોઈ નાની પક્ષી ઘરમાં આવીને થોડી વાર રોકાય તો તે સકારાત્મક સંકેત છે. આથી ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થવાની અને નવા અવસરો મળવાની આશા જાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પૂજા દરમિયાન આંખમાંથી આંસુ વહેવા

જ્યારે વ્યક્તિ પૂજા-પાઠમાં એટલી બધી તન્મય થઈ જાય કે પોતાની સુધ-બુધ ભૂલી જાય અને આંખોમાંથી આપમેળે આંસુઓ વહે તો તે શુભ સંકેત છે. આનો મતલબ એ છે કે તેની મનોકામના ઈશ્વર સુધી પહોંચી રહી છે અને ટૂંક સમયમાં જ કોઈ સારો માર્ગ નીકળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સાધુ-સંતોના અચાનક દર્શન

સવારે ઘરના દરવાજા પર અચાનક કોઈ સાધુ-સંતની દસ્તક પડે તો તેને શુભ માનવું જોઈએ. સંતોનું સાન્નિધ્ય માણસને સાચી દિશા બતાવી શકે છે. જો કોઈને લાંબા સમયથી કોઈ તીર્થસ્થાને જવાની ઈચ્છા હોય તો આ તે ઈચ્છા પૂર્ણ થવાનો સંકેત પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અંતર્મનનો આવાજ

મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે કોઈ ઉકેલ ન મળે ત્યારે અંતર્મન અચાનક કોઈ સાચા નિર્ણય તરફ દોરી જાય છે. અંદરથી કોઈ સાચા કામનો વિચાર આવવો સકારાત્મક સંકેત માનવામાં આવે છે. આ વ્યક્તિને ભ્રમમાંથી મુક્ત કરીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

auspicious signs worship Neem Karoli Baba
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ