ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:29 PM, 1 September 2026
ADVERTISEMENT
સોનું-ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. મહિનાના પહેલા જ દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોનાની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. તેમણે લોકોને સલાહ આપી હતી કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી સોનું ખરીદવાથી દૂર રહે. આ અપીલની અસર આજે સોના અને ચાંદીના ભાવ પર સ્પષ્ટ દેખાઈ છે.
ADVERTISEMENT
કેટલો આવ્યો ઘટાડો?
1 સપ્ટેમ્બર, એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. સોનાના ભાવ 310 રૂપિયા ઘટીને 1.54 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે.
ADVERTISEMENT
આજે સોના અને ચાંદીનો ભાવ શું છે?
ભારતમાં સોનાના ભાવમાં 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ બુલિયન બજારમાં થોડો વધારો જોવા મળ્યો. 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹16 વધીને ₹15,693 થયું, જે હવે પ્રતિ 10 ગ્રામ ₹૧૫૬,૯૩૦ થયું છે. આ દરમિયાન, ૨૨ કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹૧૫ વધીને ₹૧૪,૩૮૫ થયું, જે હવે પ્રતિ ૧૦ ગ્રામ ₹૧૪૩,૮૫૦ થયું છે. ૧૮ કેરેટ સોનું પણ પ્રતિ ગ્રામ ₹૧૨ વધીને ₹૧૧,૭૭૦ થયું છે. આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ચાંદીના ભાવ પ્રતિ ગ્રામ ₹5 ઘટીને ₹250 થયા. 10 ગ્રામ ચાંદીનો ભાવ હવે ₹2,500 છે, જ્યારે 100 ગ્રામનો ભાવ ₹25,000 થયો છે. એક કિલોગ્રામ ચાંદી ₹5,000 ઘટીને ₹2,50,000 થઈ ગઈ છે.
ADVERTISEMENT
પીએમ મોદીની અપીલ શું છે?
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી સોનું ખરીદવાનું ટાળો. ભારતમાં સોનાની ખરીદી એક મજબૂત પરંપરા છે, અને ખાસ કરીને લગ્નો અને તહેવારો દરમિયાન તેની માંગ વધારે છે. મોદીએ અગાઉ પણ આવી જ અપીલ કરી છે. 10 મેના રોજ, પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, તેમણે નાગરિકોને અર્થતંત્રને મજબૂત બનાવવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે યોગદાન આપવા માટે ઘણા પગલાં લેવા વિનંતી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.