ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષભ, ગુરુ ઉચ્ચ રાશિ કર્ક અને સૂર્ય સ્વરાશિ સિંહમાં રહેશે

photo-story

5 ફોટો ગેલેરી

Janmashtami 2026 / 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષભ, ગુરુ ઉચ્ચ રાશિ કર્ક અને સૂર્ય સ્વરાશિ સિંહમાં રહેશે

Last Updated: 04:19 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ચંદ્ર અને ગુરુની ઉચ્ચ સ્થિતિ તેમજ મંગળ-શુક્રના નવપંચમ રાજયોગથી દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. આ શુભ યોગોને કારણે વૃષભ, કર્ક, કન્યા અને ધનુ રાશિના જાતકોને આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

1/5

photoStories-logo

1. 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષભ, ગુરુ ઉચ્ચ રાશિ કર્ક અને સૂર્ય સ્વરાશિ સિંહમાં રહેશે

આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026ના રોજ ઉજવાનારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વ પર આકાશી મંડળમાં અનેક દુર્લભ અને અત્યંત શુભ સંયોગો સર્જાવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રના ગણિત અનુસાર, આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં અને ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કર્ક સાથે બિરાજમાન રહેશે. આ ઉપરાંત, સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં રહેશે, જ્યાં બુધ, સૂર્ય અને કેતુની ત્રિગ્રહી યુતિ પણ રચાશે. તેની સાથોસાથ મંગળ અને શુક્રની વિશેષ સ્થિતિને કારણે 'નવપંચમ રાજયોગ' નું નિર્માણ થઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય માનસિક શાંતિ અને આર્થિક સ્થિરતા લાવશે. નાણાકીય સ્થિતિમાં સકારાત્મક સુધારો જોવા મળશે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. આરોગ્ય ક્ષેત્રે પણ સુધારાના શુભ સંકેતો મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કર્ક

કર્ક રાશિના લોકો માટે કરિયર અને બિઝનેસમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે. આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે. અચાનક નાણાકીય લાભ (અણધાર્યો આર્થિક ફાયદો) થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કન્યા

વેપાર-ધંધા સાથે જોડાયેલા કન્યા રાશિના જાતકોને કોઈ મોટી બિઝનેસ ડીલ મળી શકે છે. લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક પાસું મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ધનુ

ધનુ રાશિના જાતકો માટે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. દંપતીઓ વચ્ચે વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami2026 Horoscope2026 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ