ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / છાતીમાં દુખાવો ગભરાટ કે હાર્ટ એટેક? 2 મિનિટમાં જાણો ફર્ક, ઈમરજન્સીમાં કામ લાગશે
Last Updated: 01:54 PM, 28 May 2026
ADVERTISEMENT
છાતીમાં દુખાવો થાય ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌપ્રથમ હાર્ટ એટેકનો જ ડર આવે છે. પરંતુ છાતીમાં દુખાવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય કારણ એન્ઝાયટી એટલે કે ગભરામણ છે. ઘણી વખત વધારે વિચારવું, તણાવ લેવો અથવા ગભરામણના કારણે ઘૂંટણું લાગવું અને બેચેની અનુભવાતી હોય ત્યારે પણ છાતીમાં તેજ દુખાવો થઈ શકે છે. આ કારણે ઘણા લોકો મૂંઝવણમાં પડી જાય છે કે છાતીમાં થતો દુખાવો માત્ર ગભરામણને કારણે છે કે પછી હાર્ટ એટેકનો કોઈ સંકેત છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કેટલાક એવા લક્ષણો હોય છે જેના આધારે હાર્ટ એટેક અને એન્ઝાયટીથી થતા દુખાવામાં સરળતાથી ફરક સમજી શકાય છે.
ADVERTISEMENT
એન્ઝાયટી એટલે કે ગભરામણ દરમિયાન પણ છાતીમાં તેજ દુખાવો થઈ શકે છે. આ દુખાવો ઘણી વખત સોય ચુભતી હોય એવો લાગે છે. તેની સાથે ક્યારેક ઝડપી શ્વાસ લેવો, વધારે પસીનો આવવો અને બેચેની જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ પ્રકારનો દુખાવો સામાન્ય રીતે છાતીના એક જ ભાગમાં વધારે અનુભવાય છે અને શરીરના બીજા ભાગોમાં ફેલાતો નથી. આવી સ્થિતિમાં લાંબા શ્વાસ લેવાથી અથવા થોડો સમય શાંતિથી બેસી રહેવાથી દુખાવો અને ગભરાટમાં રાહત મળી શકે છે.
ADVERTISEMENT
હાર્ટ એટેક દરમિયાન છાતીમાં થતો દુખાવો એન્ઝાયટીના દુખાવાથી અલગ હોય છે. હાર્ટ એટેકની શરૂઆત પણ છાતીમાં તેજ દુખાવાથી થાય છે, પરંતુ તેમાં સામાન્ય રીતે છાતીમાં ભારેપણું, દબાણ અથવા જકડાણ જેવી લાગણી થાય છે. આ દુખાવો માત્ર છાતીના એક ભાગમાં સીમિત રહેતો નથી પરંતુ ખભા, જડબા, હાથ અને પીઠ સુધી પણ ફેલાઈ શકે છે. તેની સાથે શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉલ્ટી કે ચક્કર આવવા, ઠંડો પસીનો આવવો અને વધારે નબળાઈ લાગવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે હાર્ટ એટેક દરમિયાન છાતીનો દુખાવો સમય જતાં વધતો જાય છે. ઊંડો શ્વાસ લેવાથી અથવા આરામ કરવાથી તેમાં રાહત મળતી નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હવે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક વાપરવા માટે આપવા પડશે આટલા પૈસા
ADVERTISEMENT
જેઓને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મોટાપો અથવા હૃદય સંબંધિત કોઈ બીમારી હોય તેમણે છાતીના દુખાવાને ક્યારેય અવગણવો જોઈએ નહીં. તે ઉપરાંત જો તમે ધુમ્રપાન કરતા હોવ અથવા તમારા પરિવારમાં હૃદયરોગની હિસ્ટ્રી હોય તો પણ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આવા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો સામાન્ય લોકોની સરખામણીએ વધુ હોય છે. બીજી તરફ જો તમને વારંવાર એન્ઝાયટી અથવા વધારે તણાવ રહેતો હોય તો એકવાર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી સારો વિકલ્પ બની શકે છે.
ADVERTISEMENT
જો છાતીમાં થતો દુખાવો સતત વધતો જાય અને શરીરના બીજા ભાગોમાં પણ ફેલાવા લાગે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તે ઉપરાંત ઉલ્ટી, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઠંડો પસીનો આવવો અથવા બેહોશી જેવી સમસ્યાઓ અનુભવાતી હોય તો તરત સારવાર લેવી જરૂરી છે. છાતીના દુખાવાને માત્ર એન્ઝાયટી સમજીને અવગણવું જોખમી સાબિત થઈ શકે છે. તેથી થોડો પણ સંદેહ હોય તો ડોક્ટરની સલાહ લેવી હંમેશા ફાયદાકારક રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ