ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 7 વર્ષ પછી ખુલ્યું CID બંધ થવાનું રહસ્ય! દયાએ કહ્યું- લતા મંગેશકરે અમેરિકા સુધી ફોન કર્યો હતો

photo-story

6 ફોટો ગેલેરી

ટીવી / 7 વર્ષ પછી ખુલ્યું CID બંધ થવાનું રહસ્ય! દયાએ કહ્યું- લતા મંગેશકરે અમેરિકા સુધી ફોન કર્યો હતો

Last Updated: 11:26 AM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સદાબહાર ક્લાસિક શો CID ના લાખો-કરોડો ચાહકો છે. આ શો શા માટે બંધ કરવામાં આવ્યો તે અંગે સૌને કુતૂહલ હતું, પરંતુ દયાનંદ શેટ્ટીએ તેના બંધ થવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. આ બાબતે લતા મંગેશકરે અમેરિકાથી ફોન પણ કર્યો હતો.

1/6

photoStories-logo

1. 1998માં શરૂ થયો હતો CID શો

બહુ ઓછા ટીવી શો દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવીને સદાબહાર ક્લાસિક બની શકે છે. આવો જ એક શો છે CID, જેનું પ્રસારણ સૌપ્રથમ 1998માં શરૂ થયું હતું અને 2018માં સમાપ્ત થતા પહેલાં લગભગ બે દાયકા સુધી તેણે દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ લોકપ્રિય ક્રાઈમ સિરીઝ 2024માં નવી સીઝન સાથે પરત ફરી છે અને તેના જાણીતા પાત્રોને ફરીથી સ્ક્રીન પર લાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શો બંધ થવાનું અસલી કારણ

હવે, એકના પોડકાસ્ટ પરની વાતચીત દરમિયાન, 'દયા'નું પાત્ર ભજવનારા દયાનંદ શેટ્ટીએ શો બંધ થવાનું અસલી કારણ જણાવ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે જ્યારે શો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે તેમાં દખલગીરી કરી હતી અને શોના નિર્માતાઓ સાથે વાત કરી હતી. દયાનંદે ઉલ્લેખ કર્યો કે, CIDના કલાકારો શોના નિર્માતાઓ સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલા હતા. જોકે, 2018માં ચેનલ નિર્માતાઓને બદલવા માંગતી હતી, જે પગલાનો કલાકારોએ વિરોધ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કેમ બંધ થયો CID શો?

તેણે કહ્યું, "આંતરિક રાજકારણને કારણે તે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમસ્યાની શરૂઆત 2016માં થઈ હતી. ચેનલ નિર્માતાઓને બદલવા માંગતી હતી, પરંતુ કલાકારો તેનાથી સહમત નહોતા. સોની સાથે અમારો સીધો સંપર્ક નહોતો. અમે 'ફાયરવર્કસ' ના કલાકારો હતા. 21 વર્ષ પછી પણ અમે કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નહોતા બધું નિર્માતાઓના શબ્દો પર આધારિત હતું. આ વાત ચેનલ માટે આશ્ચર્યજનક હતી. શરૂઆતમાં અમને આ બાબતનું ખરાબ લાગ્યું હતું."

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેન્સએ વ્યક્ત કરી પોતાની ખુશી

તેમણે યાદ અપાવ્યું કે જ્યારે ચેનલે 2016માં કલાકારોના કરારોની માંગણી કરી હતી, ત્યારે નિર્માતાઓએ ખુલાસો કર્યો હતો કે કલાકારોએ વાસ્તવમાં ક્યારેય કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા જ નહોતા. તેમણે CIDની અપાર લોકપ્રિયતા વિશે પણ વાત કરી અને ઉલ્લેખ કર્યો કે ચેનલ દ્વારા અન્ય એક ક્રાઈમ શો પાછો લાવવાનો નિર્ણય લેવાયા બાદથી ચાહકો સોની ચેનલના સોશિયલ મીડિયા પેજ પર સતત કમેન્ટ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લતા મંગેશકરે અમેરિકા સુધી ફોન કર્યો

દયાનંદે આગળ જણાવ્યું કે, જ્યારે શો બંધ થવાની તૈયારીમાં હતો, ત્યારે સ્વર્ગસ્થ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે કલાકારોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, "લતાજી અમારા ખૂબ મોટા ચાહક હતાં. તેઓ અમને ખૂબ પસંદ કરતા હતાં અને હંમેશા અમારો સાથ આપતા હતાં. જ્યારે શો બંધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પણ તેમણે અમારા માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સોની અમેરિકાને ફોન કરીને તેમને આકરા શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, 'હું આ શો જોઉં છું; તમે તેને શા માટે બંધ કરી રહ્યા છો? તમારી સમસ્યા શું છે?'"

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. CID ની કાસ્ટ ફેમ

દયાાનંદ શેટ્ટી દ્વારા ભજવવામાં આવેલ 'સીનિયર ઇન્સ્પેક્ટર દયા'નું પાત્ર CIDના સૌથી જાણીતા પાત્રોમાંનું એક છે. ખાલી હાથે દરવાજા તોડી નાખવાની તેમની પ્રખ્યાત ક્ષમતા આ સીરિઝની સૌથી લોકપ્રિય 'રનિંગ ગેગ્સ' માંની એક બની ગઈ હતી અને સમય જતાં તે પોપ કલ્ચરનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ. ACP પ્રદ્યુમન (શિવાજી સાતમ) અને સીનિયર ઇન્સ્પેક્ટર અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ) સાથે દયાની જે મિત્રતા અને પરસ્પર તાલમેલ હતો, તે આ શોની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lata mangeshkar called america why cid gone off air dayanand shetty revealed reason
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ