ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / અધર્મ પર ધર્મની જીત, શ્રીરામના જીવનના આ 5 પ્રસંગો આજે પણ આપે છે મોટી શીખ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / અધર્મ પર ધર્મની જીત, શ્રીરામના જીવનના આ 5 પ્રસંગો આજે પણ આપે છે મોટી શીખ

Last Updated: 09:09 AM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Hindu Dharam:રામાયણ માત્ર એક પ્રાચીન મહાકાવ્ય નથી; તે ધર્મ, નીતિ, ત્યાગ અને મર્યાદાનો સંદેશ આપે છે. અહીં રામાયણના પાંચ અત્યંત ભવ્ય પ્રસંગો વિશે જાણીએ, એવા પ્રસંગો કે જેમણે માત્ર ઇતિહાસ જ નથી રચ્યો, પરંતુ માનવતાને જીવવાનો માર્ગ પણ બતાવ્યો છે.

1/7

photoStories-logo

1. આ સમયે થયો હતો શ્રી રામનો જન્મ

વિચાર કરો જ્યારે પૃથ્વી પર અધર્મ ફેલાઈ ગયો હતો. અસુરો દ્વારા ફેલાવવામાં આવેલો આતંક એટલો ભયાનક હતો કે ઋષિ-મુનિઓ પણ શાંતિપૂર્વક યજ્ઞ કરી શકતા નહોતા. સમાજની નૈતિક વ્યવસ્થા જોખમમાં મુકાઈ ગઈ હતી અને ઘણા રાજાઓ ધર્મના સિદ્ધાંતોને બદલે માત્ર પોતાની શક્તિના જોરે શાસન કરવા લાગ્યા હતા. આવા કપરા કાળમાં જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.અયોધ્યાના રાજકુમાર શ્રી રામ 'મર્યાદા પુરુષોત્તમ' તરીકે ઓળખાયા. રામાયણ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે આપણને જીવન જીવવાની રીત પણ શીખવે છે. તેમાં પ્રેમ, ત્યાગ, તપસ્યા, કર્તવ્ય, યુદ્ધ અને અંતે સત્યના વિજયની કથાઓ સમાવિષ્ટ છે. આજે આપણે રામાયણની એવી પાંચ મહત્વપૂર્ણ અને ભવ્ય ઘટનાઓ વિશે જાણીશું, જેમણે ભગવાન શ્રી રામને માત્ર એક રાજામાંથી યુગ-નિર્માણ કરનાર મહાપુરુષમાં પરિવર્તિત કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શિવ ધનુષ તોડ્યુ અને સીતા સ્વયંવર જીત્યુ

મિથિલામાં રાજા જનકે પોતાની પુત્રી સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું. તેમણે એક શરત રાખી હતી: સીતા માત્ર તે જ પુરુષ સાથે લગ્ન કરશે જે ભગવાન શિવના વિશાળ ધનુષને ઊંચકીને તેના પર પ્રત્યંચા ચડાવી શકે. આ પ્રસંગ માટે દેશભરમાંથી રાજાઓ અને રાજકુમારો આવ્યા હતા, પરંતુ કોઈ પણ તે ધનુષને સહેજ પણ હલાવી શક્યું નહીં. ત્યારે, ગુરુ વિશ્વામિત્રની આજ્ઞાથી શ્રી રામ આગળ આવ્યા. શ્રી રામે સૌપ્રથમ શિવજીના ધનુષને પ્રણામ કર્યા અને પછી તેને અત્યંત સહજતાથી ઊઠાવ્યું. જેવો તેમણે ધનુષ પર પ્રત્યંચા ચઢાવવાનો પ્રયાસ કર્યો, તેવો જ તે ભયંકર અવાજ સાથે તૂટી ગયું. આ જોઈને સમગ્ર સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારબાદ, સીતાજીએ શ્રી રામના ગળામાં 'જયમાલા' પહેરાવી. આ માત્ર લગ્નનો પ્રસંગ નહોતો, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને ધર્મના મિલનનું પ્રતીક હતું. આ ઘટનાએ દર્શાવ્યું કે સાચું બળ માત્ર શારીરિક શક્તિમાં નથી, પરંતુ સંયમ અને મર્યાદાના પાલનમાં રહેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વનવાસ સ્વીકાર કરી અને ધર્મ પર અડગ રહ્યા

અયોધ્યામાં શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી અને સમગ્ર નગરી આનંદમાં મગ્ન હતી. પરંતુ, અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે અગાઉ આપેલા બે વચનો માંગ્યા અને રામ માટે ચૌદ વર્ષનો વનવાસ તથા ભરત માટે રાજગાદીની માંગણી કરી. આ સાંભળીને શ્રી રામે ન તો ક્રોધ વ્યક્ત કર્યો કે ન તો કોઈની પાસે ફરિયાદ કરી, પરંતુ તેમણે પિતાના વચનને જ પોતાનું ધર્મ - કર્તવ્ય માન્યું અને વન જવા માટે તૈયારી કરી લીધી. માતા સીતાએ તેમની સાથે વનમાં જવાનો આગ્રહ રાખ્યો અને લક્ષ્મણે પોતાના ભાઈથી અલગ થવાનો ઇનકાર કર્યો. આમ, રામ, સીતા અને લક્ષ્મણ વન તરફ નીકળી પડ્યા. શ્રી રામનો વનવાસ આપણને શીખવે છે કે સાચો ધર્માત્મા તે છે જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના કર્તવ્ય અને સિદ્ધાંતોનો ત્યાગ કરતો નથી. તેમણે રાજમહેલનો ત્યાગ કર્યો, પરંતુ તેઓ ક્યારેય ધર્મના માર્ગથી વિચલિત થયા નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હનુમાનજીની લંકા યાત્રા અને સીતાજીની શોધ

જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કરીને તેમને લંકા લઈ ગયા, ત્યારે શ્રી રામ તેમની શોધમાં નીકળ્યા. આ દરમિયાન, હનુમાને માતા સીતાને શોધી કાઢવાની જવાબદારી પોતાના પર લીધી. હનુમાને સમુદ્ર પાર કર્યો અને લંકા પહોંચ્યા. માર્ગમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે પોતાની બુદ્ધિ અને શક્તિથી દરેક અવરોધને પાર કર્યો. લંકા પહોંચીને હનુમાને અશોક વાટિકામાં માતા સીતાને શોધી કાઢ્યા. તેમણે માતા સીતાને શ્રી રામની વીંટી આપી અને ખાતરી આપી કે શ્રી રામ તેમને મુક્ત કરાવવા માટે જલ્દી જ આવશે. આ સાંભળીને માતા સીતાને આશા બંધાઈ. ત્યારબાદ, હનુમાને લંકામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને રાવણને ચેતવણી આપી. હનુમાનની આ યાત્રા દર્શાવે છે કે જ્યારે ભક્તિ, બુદ્ધિ અને સાહસનો સમન્વય થાય છે, ત્યારે મોટામાં મોટા પડકારોને પણ પાર કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. શ્રી રામ-રાવણ યુદ્ધ અને ધર્મનો વિજય

રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ એ માત્ર બે રાજાઓ વચ્ચેની લડાઈ નહોતી, તે ધર્મ અને અધર્મ તથા સત્ય અને અહંકાર વચ્ચેનો સંઘર્ષ હતો. શ્રી રામે વાનર સેના સાથે સમુદ્ર પર સેતુ બાંધ્યો અને લંકા પહોંચ્યા. તેમણે વિભીષણને પણ સાથે લીધા અને રાવણની સેના સામે યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધમાં રાવણના ઘણા શક્તિશાળી યોદ્ધાઓ માર્યા ગયા, કુંભકર્ણ અને મેઘનાદ જેવા યોદ્ધાઓનો પણ અંત આવ્યો. અંતે, સ્વયં રાવણ રણમેદાનમાં ઉતર્યો. શ્રી રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને આખરે શ્રી રામે રાવણનો વધ કર્યો. આ માત્ર એક રાક્ષસની હાર નહોતી, પરંતુ અહંકાર અને અધર્મનો અંત આવવાનું પ્રતીક હતું. રાવણનો વધ કર્યા પછી પણ શ્રી રામે તેના પ્રત્યે આદરભાવ જાળવી રાખ્યો હતો. તેમણે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહ્યું અને તેના અંતિમ સંસ્કાર કરવાની પણ આજ્ઞા આપી. આ બાબત એ સંદેશ આપે છે કે ધર્મનું પાલન કરતા રહીને પણ શત્રુ પ્રત્યે આદર દર્શાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રામ રાજ્યની સ્થાપના

રાવણ પર વિજય મેળવ્યા બાદ શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા. તેમના આગમનની ઉજવણી કરવા માટે સમગ્ર અયોધ્યા નગરીને દીવાઓથી ઝળહળતી કરવામાં આવી હતી. ઉજવણીની આ પરંપરા આજે દિવાળી તરીકે મનાવવામાં આવે છે. અયોધ્યા પરત ફર્યા પછી શ્રી રામનો રાજ્યાભિષેક થયો, જેની સાથે જ 'રામ-રાજ્ય' નો આરંભ થયો. રામરાજ્યને શાસનની એક એવી આદર્શ વ્યવસ્થા તરીકે યાદ કરવામાં આવે છે જેમાં પ્રજાની ખુશી અને જરૂરિયાતોને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવતું હતું. રાજા અને પ્રજા વચ્ચે પરસ્પર સ્નેહનો સંબંધ હતો અને ન્યાયને સર્વોપરી માનવામાં આવતું હતું. તેથી જ, આજે પણ જ્યારે આદર્શ શાસનની ચર્ચા થાય છે ત્યારે રામરાજ્યનું ઉદાહરણ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. રામાયણના આ પ્રસંગોથી શું શીખ મળે છે?

રામાયણના આ ભવ્ય પ્રસંગો માત્ર પ્રાચીન કથાઓ નથી. તે જીવનના મોટી શીખ છુપાયેલી છે. શ્રી રામ દ્વારા શિવજીનું ધનુષ ઉઠાવવું આપણને આત્મવિશ્વાસ અને સંયમ શીખવે છે. વનવાસનો સ્વીકાર ત્યાગ અને કર્તવ્યનો બોધ કરાવે છે. હનુમાનજીની લંકા-યાત્રા ભક્તિ, સાહસ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રાવણનો વિનાશ આપણને શીખવે છે કે અહંકાર અને અધર્મ ગમે તેટલા શક્તિશાળી હોય, છતાં અંતે તો સત્યનો જ વિજય થાય છે.સાથે જ, 'રામ-રાજ્ય' એ સંદેશ આપે છે કે એક સારા શાસકનું સર્વોચ્ચ કર્તવ્ય પોતાની પ્રજાનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનું છે. શ્રી રામ માત્ર એક રાજા નહોતા. તેમણે પોતાના જીવન દ્વારા એ કરી બતાવ્યું કે પરિવાર, સમાજ અને ધર્મ માટે વ્યક્તિએ પોતાની ખુશીઓનું બલિદાન કેવી રીતે આપવું જોઈએ. તેમના માટે સંપત્તિ, સિંહાસન કે ભૌતિક સુખ-સુવિધાઓ કરતાં ધર્મ, ન્યાય અને ઉચિત આચરણનું મહત્વ ઘણું વધારે હતું. એટલા માટે જ શ્રી રામ આજે પણ લાખો લોકો માટે આદર્શ છે અને રામાયણ માત્ર એક ધર્મગ્રંથ નથી, પરંતુ જીવનમાં સાચો માર્ગ બતાવતી એક મહાન કથા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ramayana ramrajya lessons 5 greatest moments shri ram life
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ