ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાંડ 40% મોંઘી થઈ છતાં અમદાવાદમાં રક્ષાબંધન સુધી મીઠાઇના ભાવ નહીં વધે
Last Updated: 02:49 PM, 26 August 2026
ADVERTISEMENT
અમદાવાદમાં રક્ષાબંધનના તહેવાર પહેલાં મીઠાઈ ખરીદતી બહેનો અને અન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ખાંડના ભાવમાં આશરે ૪૦ ટકાનો વધારો થતાં મીઠાઈ બનાવવાનો ખર્ચ પ્રતિ કિલોએ રૂ.૩૦થી રૂ.૩૫ સુધી વધી ગયો હોવા ઉપરાંત અમદાવાદના મીઠાઈ-ફરસાણ વેપારીઓએ રક્ષાબંધન સુધી ભાવ ન વધારવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. તહેવાર બાદ કાચા માલના વધેલા ખર્ચને પગલે મીઠાઈના ભાવમાં કિલોએ રૂ.૩૦થી રૂ.૪૦ સુધીનો વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરના મીઠાઈ વેપારીઓએ ગ્રાહકોને તહેવાર દરમિયાન વધેલા ભાવનો વધારાનો બોજ ન પડે તે માટે હાલના ભાવ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રક્ષાબંધન દરમિયાન મીઠાઈની માગમાં મોટો વધારો થતો હોવાથી ભાવવધારો કરવામાં આવે તો તેની સીધી અસર ગ્રાહકોનાં બજેટ પર પડી શકે છે.
આ પણ વાંચોઃ પાલડીના બંધ મકાનને કર્યું ટાર્ગેટ, બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા, ચોરોએ 22.84 લાખની ઉઠાંતરી કરી
ADVERTISEMENT
મીઠાઈનાં ઉત્પાદન માટે ખાંડ અને દૂધ એ મુખ્ય કાચા માલ છે. તેમાં ખાંડના ભાવમાં થયેલા વધારાની સીધી અસર મીઠાઈનાં ઉત્પાદન ખર્ચ પર પડી છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં જ ખાંડના ભાવ વધવાથી પ્રતિ કિલો મીઠાઈના કોસ્ટિંગમાં અંદાજે રૂ.૩૦થી રૂ.૩૫નો વધારો થયો છે. હાલ ભાવવધારો અટકાવવાથી વધેલો ઉત્પાદન ખર્ચ તેઓ સહન કરી રહ્યા છે. જોકે રક્ષાબંધન બાદ પણ ખાંડના ઊંચા ભાવ યથાવત્ રહે તો મીઠાઈના ભાવમાં વધારો કરવો પડી શકે છે. જેના કારણે વિવિધ પ્રકારની મીઠાઈના ભાવમાં કિલોએ રૂ.૩૦થી રૂ.૪૦ સુધીનો વધારો થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.